રાજકોટના ગોંડલમાં ભૂકંપ આવતા લોકો ગભરાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 12:00:11


રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં સવારે 10:40 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની માપવાના યંત્ર સિસ્મોમીટરમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ મપાયો હતો. જમીનથી 11.6 કિલો મીટર અંદરના સ્થાને ફેરફારો થવાના કારણે ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપના કારણે કોઈ પણ લોકોને કે ઘરોને નુકસાન પહોંચ્યું નથી. સરકારી કે ખાનગી માલિકીના મિલકતોમાં પણ કોઈ નુકસાન થયું નથી તે પ્રશાસન માટે રાહતનો શ્વાસ લેવા જેવી સ્થિતિ છે.


ભૂકંપ શા માટે આવતા હોય છે?

પૃથ્વીની સપાટીથી અંદર મેગ્મા નામના રસના હલવાથી કે વરાળના જમા થઈ જવાના કારણે સમયાનુસાર ભૂકંપ આવતા હોય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું ઊંડું હોય છે તેટલો ભૂકંપ ઓછો હોય છે કારણ કે ભૂકંપ ઉંડો હોવાથી મેગ્માનો રસ ભૂકંપના કંપનને શોષી લેય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું નજીક હોય છે તેટલો ભૂકંપ વધુ હોય છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભૂકંપ આવવાની ઘટના વધુ બનતી હોય છે.




ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.