રાજકોટના ગોંડલમાં ભૂકંપ આવતા લોકો ગભરાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 12:00:11


રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં સવારે 10:40 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની માપવાના યંત્ર સિસ્મોમીટરમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ મપાયો હતો. જમીનથી 11.6 કિલો મીટર અંદરના સ્થાને ફેરફારો થવાના કારણે ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપના કારણે કોઈ પણ લોકોને કે ઘરોને નુકસાન પહોંચ્યું નથી. સરકારી કે ખાનગી માલિકીના મિલકતોમાં પણ કોઈ નુકસાન થયું નથી તે પ્રશાસન માટે રાહતનો શ્વાસ લેવા જેવી સ્થિતિ છે.


ભૂકંપ શા માટે આવતા હોય છે?

પૃથ્વીની સપાટીથી અંદર મેગ્મા નામના રસના હલવાથી કે વરાળના જમા થઈ જવાના કારણે સમયાનુસાર ભૂકંપ આવતા હોય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું ઊંડું હોય છે તેટલો ભૂકંપ ઓછો હોય છે કારણ કે ભૂકંપ ઉંડો હોવાથી મેગ્માનો રસ ભૂકંપના કંપનને શોષી લેય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું નજીક હોય છે તેટલો ભૂકંપ વધુ હોય છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભૂકંપ આવવાની ઘટના વધુ બનતી હોય છે.




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.