ફરી એક વખત ધ્રુજી ઈન્ડોનેશિયાની ધરા


  • Published By :
  • Published Date : 2022-11-21 16:04:36

ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપના આંચકાઓના અનુભવ થતા હોય છે. ત્યારે સોમવારે ઈન્ડોનેશિયાના પ્રશ્ચિમ જાવા પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂંકપ 5.6 તીવ્રતાનો આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ભૂકંપના આંચકાને કારણે 44 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ જાવાના શહેર સિઆનજુરને આ ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે.

 


300 લોકો ઘાયલ થયા

ભૂકંપના આંચકા આવવાને કારણે ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ ઈસ્લામિક બોડિંગ સ્કુલ, હોસ્પિટલ તેમજ જાહેર સુવિધાઓ સહિતની ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. જાનહાની ના થાય તે માટે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. અનેક સ્થાનોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.