ભૂકંપ અંગે NGRIના વૈજ્ઞાનિકની ચેતવણી, હિમાયલ વિસ્તારમાં ગમે ત્યારે આવી શકે છે ધરતીકંપ?,


  • Published By :
  • Published Date : 2023-02-22 13:05:51

કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપને લોકો આજે પણ નથી ભૂલી શક્યા, તાજેતારમાં જ તુર્કી અને સિરિયામાં ધરતીકંપે જે તબાહી સર્જી છે, તેમાંથી ઉભા થતાં આ બંને દેશને વર્ષો વતી જશે. જો  કે ભારત માટે પણ ખતરાની ઘંટડી રણકી છે. હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓ ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે ઉત્તર ભારતમાં ધરતીકંપની આશંકા વ્યક્ત કરી છે.  


શું કહ્યું ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે?


NGRIના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું કે, "ધરતીની સપાટી અનેક પ્લેટ્સ સાથે મળીને બને છે અને આ પ્લેટ્સમાં સતત હલચલ થતી રહે છે. ભારતીય પ્લેટ્સ દર વર્ષે પાંચ સેન્ટિમીટર સુધી ખસી રહી છે. આ કારણે હિમાલય ક્ષેત્રમાં ખુબ જ દબાણ સર્જાઈ રહ્યું છે, આ જ કારણે હિમાલય વિસ્તારમાં ભારે ભૂકંપ આવી શકે છે.  ભારતીય ટેકટોનિક પ્લેટ છે, દર વર્ષે 5 સેમી પણ આગળ વધે છે. પરિણામે આવનારા દિવસોમાં ધરતીકંપની શક્યતા વધી ગઈ છે." તેમણે વધુમાં જણાવ્યું કે હિમાલય વિસ્તારમાં ભૂગર્ભીય સ્થિતી પર નજર રાખવા માટે ઉત્તરાખંડમાં 18 સિસ્મોગ્રાફ સ્ટેશનોનું મજબૂત નેટવર્ક  તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રદેશને હિમાચલ અને નેપાળના પશ્ચિમ ભાગ વચ્ચેના સિસ્મિક ગેપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઉત્તરાખંડનો સમાવેશ થાય છે." જો કે તેમણે તેમ પણ કહ્યું કે ઈમારતોનું બાંધકામ મજબુત બનાવીને જાન-માલના નુકસાનને ઘટાડી શકાય છે. 


8 મેગ્નિટ્યુડના ભૂકંપની આશંકા


ડો.પૂર્ણચંદ્ર રાવે કહ્યું કે હિમાચલ પ્રદેશ, નેપાળના પશ્ચિમ ભાગમાં અને ઉત્તરાખંડમાં ભૂકંપ આવી શકે છે. ડો.રાવે કહ્યું કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 હોઈ શકે છે. ડો.રાવે કહ્યું કે તુર્કીમાં આવેલા ભૂકંપમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોતનું કારણ સરેરાશ બાંધકામ હતું. તેમણે કહ્યું કે આપણે ભૂકંપને રોકી શકતા નથી પરંતુ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને મજબૂત ઈમારતોનું નિર્માણ કરવું જોઈએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.