ફરી એક વખત અમરેલીમાં થયો ભૂકંપનો અનુભવ, ઘણા સમયથી આવતા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય


  • Published By :
  • Published Date : 2023-02-27 13:57:42

ફરી એક વખત અમરેલીની ધરા ધ્રુજી છે. અમરેલી જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે મોડી રાત્રે ફરી એક વખત મીતિયાળા વિસ્તારમાં ભૂકંપનો અનુભવ થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં ધરતીકંપ આવવાની 14મી ઘટના છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. અનેક વખત ધરતી ધ્રુજતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મોડી રાત્રે 1.42 વાગ્યાની આસપાસ આ આંચકાનો અનુભવ થયો હતો. 


મીતિયાળા પંથકમાં સૌથી વધારે થઈ રહ્યો છે ભૂકંપનો અનુભવ  

તુર્કી અને સીરિયામાં ધરતીકંપને કારણે હજારો લોકોના માત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 14 જેટલા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભલે ઓછી નોંધાતી હોય પરંતુ વારંવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મુખ્યત્વ સૌથી વધુ ભૂકંપના આંચકાનો અનુભવ મીતિયાળા પંથકમાં થઈ રહ્યો છે. 


એક મહિનામાં આટલી વખત ધ્રુજી અમરેલીની ધરા

જો છેલ્લા થોડા સમયમાં આવેલા ભૂકંપની વાત કરીએ તો 2 ફેબ્રુઆરીના રોજ 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ 4 ફેબ્રુઆરીએ 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 6 તારીખે પણ ભૂકંપ આવ્યો હતો, 19 ફેબ્રુઆરીના રોજ ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. તે ઉપરાંત 21 ફેબ્રુઆરીએ પાંચ વખત ધરતી ધ્રુજી હતી. 23 ફેબ્રુઆરી અને 24 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રુજી હતી. ત્યારે ફરી એક વખત ધરતી ધ્રુજી છે જેને લઈ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.  



જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે