EarthQuake : દેશના અનેક રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા, દિલ્હી સહિત આ રાજ્યોમાં આવ્યો ભૂકંપ


  • Published By :
  • Published Date : 2023-10-03 16:32:43

દેશની રાજધાની દિલ્હીમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન એટલે કે એનસીઆર આસપાસ ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. 4.6 તીવ્રતા વાળા આંચકાનો અનુભવ થતા લોકો પોતાના ઘરની તેમજ ઓફિસની બહાર દોડી આવ્યા હતા. ન માત્ર દિલ્હીમાં પરંતુ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થયા છે. ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકો સુરક્ષિત સ્થળો પર દોડી આવ્યા હતા. નેપાળમાં બે વખત ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. 

દેશના આ રાજ્યોમાં અનુભવાયો ધરતીકંપ 

ધરતીકંપના આંચકાનો અનુભવ અનેક વખત થતો હોય છે. એટલી તીવ્રતાનો ભૂકંપ આવતો હોય છે કે લોકોને ઘરની બહાર નીકળવાની ફરજ પડતી હોય છે. મંગળવારે બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. તેનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયું છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. 


ભૂકંપનું કેન્દ્ર સોનિપત હોવાનું સામે આવ્યું છે!

ન માત્ર ઉત્તરપ્રદેશના લખનૌ, નોઈડા, મુરાદાબાદ, કાનપુર, મેરઠ, અલીગઢ, ગાઝિયાબાદ સહિતના ભાગોમાં ભૂકંપ નોંધાયો હતો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. એક જ દિવસમાં બે વખત ધરતીકંપનો અનુભવ થયો છે. લોકો ઘરની બહાર પોતાની રક્ષા કરવા નીકળી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર સોનીપત હોવાનું માનવામાં આવે છે.  


    



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.