EarthQuake : દેશના અનેક રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા, દિલ્હી સહિત આ રાજ્યોમાં આવ્યો ભૂકંપ


  • Published By :
  • Published Date : 2023-10-03 16:32:43

દેશની રાજધાની દિલ્હીમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન એટલે કે એનસીઆર આસપાસ ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. 4.6 તીવ્રતા વાળા આંચકાનો અનુભવ થતા લોકો પોતાના ઘરની તેમજ ઓફિસની બહાર દોડી આવ્યા હતા. ન માત્ર દિલ્હીમાં પરંતુ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થયા છે. ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકો સુરક્ષિત સ્થળો પર દોડી આવ્યા હતા. નેપાળમાં બે વખત ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. 

દેશના આ રાજ્યોમાં અનુભવાયો ધરતીકંપ 

ધરતીકંપના આંચકાનો અનુભવ અનેક વખત થતો હોય છે. એટલી તીવ્રતાનો ભૂકંપ આવતો હોય છે કે લોકોને ઘરની બહાર નીકળવાની ફરજ પડતી હોય છે. મંગળવારે બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. તેનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયું છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. 


ભૂકંપનું કેન્દ્ર સોનિપત હોવાનું સામે આવ્યું છે!

ન માત્ર ઉત્તરપ્રદેશના લખનૌ, નોઈડા, મુરાદાબાદ, કાનપુર, મેરઠ, અલીગઢ, ગાઝિયાબાદ સહિતના ભાગોમાં ભૂકંપ નોંધાયો હતો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. એક જ દિવસમાં બે વખત ધરતીકંપનો અનુભવ થયો છે. લોકો ઘરની બહાર પોતાની રક્ષા કરવા નીકળી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર સોનીપત હોવાનું માનવામાં આવે છે.  


    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.