અફઘાનિસ્તાનમાં ઘરા ધ્રુજી, 6.3ની તીવ્રતાના ભૂકંપથી ભયાનક તારાજી, 2000થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-08 12:45:52

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ આ જાણકારી આપી છે. યુનાઈટેડ નેશન્સે 2000 લોકો માર્યા ગયાનો પ્રારંભિક આંકડો આપ્યો હતો. ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ મૃત્યુઆંક આના કરતા વધારે છે. આ બે દાયકામાં દેશમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપ પૈકીનો એક છે. દેશની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ જણાવ્યું કે શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અને ત્યારપછીના જોરદાર ઝટકાઓના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.


6.3ની તીવ્રતાનો ભૂકંપ

 

અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલ નકશો પ્રદેશમાં સાત ભૂકંપનો સંકેત આપે છે.


અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા  


ટેલિફોન લાઇન ડાઉન હોવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ચોક્કસ વિગતો મેળવવી મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સેંકડો લોકો હેરાત શહેરમાં તેમના ઘરો અને ઓફિસોની બહાર રસ્તા પર જોવા મળ્યા હતા. હેરાત પ્રાંત ઈરાનની સરહદે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, નજીકના ફરાહ અને બદગીસ પ્રાંતમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. આર્થિક બાબતો માટે તાલિબાન દ્વારા નિયુક્ત નાયબ વડા પ્રધાન અબ્દુલ ગની બરાદરે હેરાત અને બદગીસમાં ભૂકંપમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.



જૂન 2022 માં, પૂર્વી અફઘાનિસ્તાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં ઘણા મકાનો જમીન પર પડી ગયા. ભૂકંપ અફઘાનિસ્તાનનો બે દાયકામાં સૌથી ખરાબ હતો, જેમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા અને લગભગ 1,500 ઘાયલ થયા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે