જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બનશે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ, CJI લલિતે કરી સરકારને ભલામણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 12:15:16

સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશના નામની જાહેરાત થઈ ગઈ છે. ડીવાય ચંદ્રચુડ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે. કેન્દ્ર સરકાર વતી કાયદા મંત્રાલયે CJI લલિતને વિનંતી કરી હતી કે તેઓ તેમના અનુગામીના નામની ભલામણ તેમને મોકલે. સિનિયોરિટી લિસ્ટ અનુસાર, જસ્ટિસ ચંદ્રચુડ વર્તમાન CJI લલિત પછી સૌથી વરિષ્ઠ છે. સેટ કન્વેન્શન મુજબ સરકારને તેમના નામની ભલામણ કરવામાં આવી હતી.


ચંદ્રચુડ દેશના 50માં ન્યાયાધીશ બનશે


CJI લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર 2022 ના રોજ સમાપ્ત થાય છે. તેઓ આ પદ પર માત્ર 74 દિવસ જ રહેશે. જસ્ટિસ લલિતને 26 ઓગસ્ટ 2022ના રોજ CJI NV રમનનો કાર્યકાળ પૂરો થયા બાદ દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ માત્ર અઢી મહિનાનો છે. જ્યારે તેમના પુરોગામી મુખ્ય ન્યાયાધીશોનો સરેરાશ કાર્યકાળ 1.5 વર્ષનો હતો. ડીવાય ચંદ્રચુડ દેશના 50માં ન્યાયાધીશ  હશે. જસ્ટિસ ચંદ્રચુડ 9 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. જસ્ટિસ ચંદ્રચુડ બે વર્ષ માટે દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે. તેમને 2016માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 


ન્યાયાધીશ ચંદ્રચુડના પિતા પણ CJI રહી ચૂક્યા છે


આગામી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અંગે એક રોચક તથ્ય પણ છે. જસ્ટિસ ચંદ્રચૂડના પિતાજી વાય વી ચંદ્રચુંડ પણ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચીફ જસ્ટિસ રહ્યાં હતા. રસપ્રદ વાત એ છે કે જસ્ટિસ ચંદ્રચૂડના પિતા દેશના સૌથી લાંબા સમય સુધીના ચીફ જસ્ટિસ રહ્યાં હતા.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.