Dwarka : રખડતા શ્વાનનો આતંક યથાવત! 11 વર્ષની બાળકી પર કર્યો હુમલો, ફાડી કાઢી! ક્યાં સુધી બનતી રહેશે આવી ઘટનાઓ?


  • Published By :
  • Published Date : 2024-04-08 12:47:23

રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શ્વાનના હુમલાને કારણે, રખડતા ઢોરના હુમલાને કારણે લોકોનું જીવન સમાપ્ત થઈ જાય છે... અનેક વખથ આપણી સામે ઉદાહરણો સામે આવે છે જેમાં રખડતા શ્વાન અથવા તો રખડતા ઢોરના હુમલાને કારણે કોઈનું નિર્દોષ વ્યક્તિનું મોત થઈ જતું હોય. ત્યારે એક કિસ્સો દ્વારકાથી સામે આવ્યો છે જેમાં રખડતા શ્વાનના હુમલાને કારણે 11 વર્ષની દીકરીનું મોત થઈ ગયું છે.... 11 વર્ષની બાળકીને રરખડતા શ્વાનોએ ફાડી નાખી...


11 વર્ષની બાળકીને રખડતા શ્વાને ફાડી નાખી!

દ્વારકાથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. ફરી એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાનનો તેમજ રખડતા ઢોરના હુમલાથી લોકોને મુક્તિ મળે તે માટે અનેક તંત્ર દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રખડતા ઢોરને પકડવા માટે તેમજ રખડતા શ્વાનને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ તો પણ અનેક વખત રખડતા ઢોર તેમજ શ્વાનને કારણે એક મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. ત્યારે આવી જ એક કંપાવી દે તેવી દુર્ઘટના દ્વારકામાં બની છે.. મળતી માહિતી અનુસાર રખડતા શ્વાને ભાણવડના રૂપામોરા વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકીને ફાડી નાખી છે. 



બાળકીનું નિપજ્યું કમકમાટી ભર્યું મોત! 

મળતી માહિતી અનુસાર બાળકી ગલીમાં રમી રહી હતી તે વખતે રખડતા શ્વાને તેની પર હુમલો કર્યો. તેને બચકા ભર્યા અને તેને ફાડી ખાધી..  માસુમ બાળકીને શ્વાને અનેક બચકા ભર્યા અને બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી. બાળકીને હોસ્પિટલ પણ ખસેડવામાં આવી એ આશા સાથે કે તેને જીવનદાન મળે પરંતુ તેની પહેલા જ બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે રખડતા શ્વાનના હુમલાને કારણે  અનેક લોકોના મોત થયા છે. આવી ઘટનાઓ બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નોંધનીય છે કે રખડતાં શ્વાનના હુમલાનું પ્રમાણ વધ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી...સવાલ એ થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકો આવા હુમલાનો ભોગ બનશે...?  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.