બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરના પગલે દ્વારકા જગત મંદિર રહેશે બંધ, શ્રદ્ધાળુઓની સુરક્ષાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-14 18:11:10

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસર અને ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટા યાત્રાધામો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકા મંદિર ટ્રસ્ટે  દ્વારકાધીશ જગતમંદિર આવતી કાલે ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહીં ચડે, પવનની સ્થિતિના કારણે ધ્વજાને પણ નુકશાન થયું છે.


શ્રધ્ધાળુઓ માટે જગતમંદિર રહેશે બંધ


દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે. જો કે શ્રધ્ધાળુઓ સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકશે. 


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે લોકોને કરી આ અપીલ


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે પણ લોકોને અપીલ કરતા કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ભગવાન દ્વારકાધીશના ભક્તો-યાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે દ્વારકાધીશ મંદિર આવતીકાલે 15મી જૂન 2023એ ગુરુવારે દર્શન માટે બંધ રહેશે. શ્રધ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોવાથી તમનો પ્રવાસ મોકૂફ રાખે. જોકે શ્રીજીની સેવા પુજાનો નિત્યક્રમ પરંપરા પ્રમાણે પુજારીઓ દ્વારા ચાલુ રહેશે. જે ભક્તો નિત્યદર્શન કરવા માગતા હોય તેઓ સંસ્થાની વેબસાઈટ dwarkadhish.org તથા સંસ્થાના અન્ય સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી ઓનલાઈન દર્શન કરી શકશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.