બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરના પગલે દ્વારકા જગત મંદિર રહેશે બંધ, શ્રદ્ધાળુઓની સુરક્ષાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-14 18:11:10

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસર અને ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટા યાત્રાધામો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકા મંદિર ટ્રસ્ટે  દ્વારકાધીશ જગતમંદિર આવતી કાલે ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહીં ચડે, પવનની સ્થિતિના કારણે ધ્વજાને પણ નુકશાન થયું છે.


શ્રધ્ધાળુઓ માટે જગતમંદિર રહેશે બંધ


દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે. જો કે શ્રધ્ધાળુઓ સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકશે. 


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે લોકોને કરી આ અપીલ


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે પણ લોકોને અપીલ કરતા કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ભગવાન દ્વારકાધીશના ભક્તો-યાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે દ્વારકાધીશ મંદિર આવતીકાલે 15મી જૂન 2023એ ગુરુવારે દર્શન માટે બંધ રહેશે. શ્રધ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોવાથી તમનો પ્રવાસ મોકૂફ રાખે. જોકે શ્રીજીની સેવા પુજાનો નિત્યક્રમ પરંપરા પ્રમાણે પુજારીઓ દ્વારા ચાલુ રહેશે. જે ભક્તો નિત્યદર્શન કરવા માગતા હોય તેઓ સંસ્થાની વેબસાઈટ dwarkadhish.org તથા સંસ્થાના અન્ય સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી ઓનલાઈન દર્શન કરી શકશે.



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..