દ્વારકામાં પાણી ભરાયા, સોશિયલ મીડિયા પર ખેડૂતનો એક વીડિયો વાયરલ થયો જેમાં...


  • Published By :
  • Published Date : 2024-07-24 17:19:02

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ થોડો ધીમો પડ્યો છે પરંતુ ત્યાંથી વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે અત્યંત ભયાનક છે. તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વધારે વરસાદને કારણે મચેલી તબાહીને કારણે ખેડૂતોને વધારે નુકસાન થયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યા છે.   

ખેડૂતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં...

રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વધારે વરસાદ થવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલ થોડો વરસાદ ધીમો પડ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યો છે કે વરસાદ બંધ થઈ જાય.. દોહાના માધ્યમથી ખેડૂત વેદના રજૂ કરી રહ્યા છે. 


દ્વારકા તેમજ જામનગરની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

મહત્વનું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર તેમજ દ્વારકા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.. ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ તેમણે મેળવ્યો હતો. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદની પ્રતીક્ષામાં છે. ત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે