ગુજરાત પોલીસની મેગા ડાઈવ દરમિયાન આટલા લોકોએ કર્યો કાયદાનો ભંગ! પોલીસે સમજવું પડશે કે સામાન્ય દિવસોમાં કેટલા લોકો કરતા હશે ઉલ્લંઘન!


  • Published By :
  • Published Date : 2023-07-26 15:51:53

અમદાવાદમાં અકસ્માત સર્જાયા બાદ ગુજરાત પોલીસ એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માતો રોકવા માટે પોલીસે એક મહિના માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે જેમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલથી શરૂ થયેલી ડ્રાઈવમાં અનેક લોકો વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ પોલીસે 16 પીધેલા, 119 જોખમી ડ્રાઈવિંગ કરતા તેમજ 57 વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. મેગા ડ્રાઈવ અંતર્ગત રાત્રીના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. અમદાવાદમાં અલગ અલગ પોઈન્ટ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.   


તથ્યના કારનામાઓ ધીમે ધીમે આવી રહ્યા છે સામે 

આપણે ત્યાં કહેવત છે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. પાણી વહી ગયા પછી પાળ બનાવવાનો કોઈ અર્થ નથી રહેતો. તેવી જ રીતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે ઓવરસ્પીડ હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે અને તે જીવલેણ પણ સાબિત થયા છે. અમદાવાદમાં થોડા દિવસો પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. આ  ઘટના સામે આવ્યા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસના ત્રણ જવાનો પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ મામલે પોલીસ ઘણી એક્શન મોડમાં દેખાઈ રહી છે. અકસ્માત સર્જાયા બાદ તથ્ય પટેલના તથ્યો સામે આવી રહ્યા છે. આજસુધી તથ્ય પટેલે કેટલા અકસ્માત સર્જ્યા છે તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. 


આટલા લોકોએ કર્યો નિયમોનો ભંગ

અકસ્માત સર્જાતા પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી એક મહિના સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવ અંતર્ગત લાઈસન્સ, આર.સી.બુક હેલ્મેટ સહિતની વસ્તુઓ તેમજ ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે. શહેરમાં ઓવરસ્પીડના 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ મળીને કુલ 192 કેસ નોંધવામાં આવ્યા છે. 


જો ડ્રાઈવ દરમિયાન આટલા ગુન્હાઓ નોંધાતા હોય તો પછી....

મહત્વનું છે કે ડ્રાઈવ ચાલી રહી છે તેની જાણ હોવા છતાંય જો આટલા કેસ નોંધાઈ રહ્યા છે તો સામાન્ય દિવસોમાં જ્યારે ડ્રાઈવ નહીં ચાલતી હોય ત્યારે કેટલા ગુન્હાઓ બનતા હશે? એક મહિના સુધી સારી રીતે અનેક લોકો ડ્રાઈવ કરશે, નિયમો તેમજ કાયદાનું પાલન કરશે પરંતુ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ? પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ આવીને ઉભી રહેશે. આપણી એક જ તકલીફ છે કે આપણે ત્યાં સુધી નથી સુધરતા જ્યાં સુધી આપણા પર નથી વિતતી. કાયદાનું પાલન આપણી સુરક્ષા માટે છે, તે સમજીને પણ આપણે હંમેશા કાયદાનું પાલન કરવું જોઈએ.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.