ગુજરાત પોલીસની મેગા ડાઈવ દરમિયાન આટલા લોકોએ કર્યો કાયદાનો ભંગ! પોલીસે સમજવું પડશે કે સામાન્ય દિવસોમાં કેટલા લોકો કરતા હશે ઉલ્લંઘન!


  • Published By :
  • Published Date : 2023-07-26 15:51:53

અમદાવાદમાં અકસ્માત સર્જાયા બાદ ગુજરાત પોલીસ એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માતો રોકવા માટે પોલીસે એક મહિના માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે જેમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલથી શરૂ થયેલી ડ્રાઈવમાં અનેક લોકો વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ પોલીસે 16 પીધેલા, 119 જોખમી ડ્રાઈવિંગ કરતા તેમજ 57 વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. મેગા ડ્રાઈવ અંતર્ગત રાત્રીના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. અમદાવાદમાં અલગ અલગ પોઈન્ટ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.   


તથ્યના કારનામાઓ ધીમે ધીમે આવી રહ્યા છે સામે 

આપણે ત્યાં કહેવત છે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. પાણી વહી ગયા પછી પાળ બનાવવાનો કોઈ અર્થ નથી રહેતો. તેવી જ રીતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે ઓવરસ્પીડ હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે અને તે જીવલેણ પણ સાબિત થયા છે. અમદાવાદમાં થોડા દિવસો પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. આ  ઘટના સામે આવ્યા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસના ત્રણ જવાનો પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ મામલે પોલીસ ઘણી એક્શન મોડમાં દેખાઈ રહી છે. અકસ્માત સર્જાયા બાદ તથ્ય પટેલના તથ્યો સામે આવી રહ્યા છે. આજસુધી તથ્ય પટેલે કેટલા અકસ્માત સર્જ્યા છે તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. 


આટલા લોકોએ કર્યો નિયમોનો ભંગ

અકસ્માત સર્જાતા પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી એક મહિના સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવ અંતર્ગત લાઈસન્સ, આર.સી.બુક હેલ્મેટ સહિતની વસ્તુઓ તેમજ ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે. શહેરમાં ઓવરસ્પીડના 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ મળીને કુલ 192 કેસ નોંધવામાં આવ્યા છે. 


જો ડ્રાઈવ દરમિયાન આટલા ગુન્હાઓ નોંધાતા હોય તો પછી....

મહત્વનું છે કે ડ્રાઈવ ચાલી રહી છે તેની જાણ હોવા છતાંય જો આટલા કેસ નોંધાઈ રહ્યા છે તો સામાન્ય દિવસોમાં જ્યારે ડ્રાઈવ નહીં ચાલતી હોય ત્યારે કેટલા ગુન્હાઓ બનતા હશે? એક મહિના સુધી સારી રીતે અનેક લોકો ડ્રાઈવ કરશે, નિયમો તેમજ કાયદાનું પાલન કરશે પરંતુ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ? પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ આવીને ઉભી રહેશે. આપણી એક જ તકલીફ છે કે આપણે ત્યાં સુધી નથી સુધરતા જ્યાં સુધી આપણા પર નથી વિતતી. કાયદાનું પાલન આપણી સુરક્ષા માટે છે, તે સમજીને પણ આપણે હંમેશા કાયદાનું પાલન કરવું જોઈએ.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!