મતગણતરી દરમિયાન લાગતું હતું કે Patanમાં ચંદનજી ઠાકોર જીતી શકે છે પરંતુ એકાએક પરિણામ બદલાયું અને...


  • Published By :
  • Published Date : 2024-06-04 19:01:34

ચૂંટણીના સમય દરમિયાન ગુજરાતની અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારોની, બેઠકની ચર્ચા થઈ.. જેમાં આણંદ લોકસભા, ભરૂચ લોકસભા બેઠક, બનાસકાંઠા લોકસભા સીટ ચર્ચામાં રહી. બધાની નજર આ બેઠકો પર હતી પરંતુ પરિણામ જ્યારે સામે આવ્યું ત્યારે પાટણના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચંદનજી ઠાકોર અનેક સમય સુધી આગળ રહ્યા, ભરતસિંહ ડાભી પાછળ ચાલી રહ્યા હતા પરંતુ એકાએક ભાજપના ઉમેદવાર આગળ આવી ગયા અને અંતે ભરતસિંહ ડાભીની જીત થઈ....


એવું લાગતું હતું કે ઈન્ડિ ગઠબંધનને બે સીટો મળી શકે છે.

ગુજરાતના પરિણામો આવી ગયા છે.. 25 બેઠકો પર કેસરિયો લહેરાયો છે પરંતુ બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. પરિણામો જ્યારે સામે આવી રહ્યા હતા તે વખતે એવું લાગતું હતું કે ચંદનજી ઠાકોર બાજી મારી શકે છે.. ગુજરાતમાં બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આવી શકે છે. પ્રથમ 15 રાઉન્ડ સુધી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા. 15 રાઉન્ડ બાદ એકાએક બાજી પલટાઈ હતી અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બાજી મારી હતી. 31000થી વધારેના મતથી ભરતસિંહ ડાભી જીત્યા..


પાટણમાં ભરતસિંહ ડાભીની થઈ જીત

ગુજરાતમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ખૂબ ઓછી રેલી કરી, પ્રચાર કર્યો ઉમેદવારોનો.. પાટણથી ઈન્ડિયાના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. આ બેઠક પર ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો થયો હતો. ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું પડ્યું હતું. ભાજપના ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે એકદમ રસપ્રદ જંગ જામી હતી. એવું લાગતું હતું કે આ બેઠક કોંગ્રેસના ફાળે આવી શકે છે પરંતુ છેલ્લા સમયે આખેઆખી બાજી પલટાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે પોતાની પાઘડી ઉતારીને લોકો પાસેથી તેમના માટે મત માંગ્યા હતા. આ રીતનો અનોખો પ્રચાર પણ તેમને જીત અપાવી શક્યો નથી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.