કર્ણાટકમાં પ્રચાર દરમિયાન પીએમ મોદીએ વિતાવ્યો બાળકો સાથે સમય! પીએમએ બાળકોને પૂછ્યું, 'શું તમે વડાપ્રધાન નથી બનવા માગતા?'


  • Published By :
  • Published Date : 2023-05-03 11:51:31

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે અનેક જગ્યાઓ પર રેલી કરી હતી. પરંતુ સૌથી વધારે ધ્યાન પ્રધાનમંત્રીએ બાળકો સાથે કરેલી મસ્તીએ ખેંચ્યું હતું. પીએમએ કલબુર્ગીના નાના ભૂલકાઓ સાથે વાત કરી હતી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી કરતા પણ દેખાયા હતા. 


બાળકો સાથે વડાપ્રધાન મોદીએ કરી મસ્તી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કર્ણાટકની ચૂંટણીમાં વ્યસ્ત છે. અનેક જગ્યાઓ પર પીએમ મોદી આજે રેલી સંબોધવાના છે. ત્યારે ગઈકાલે પણ અનેક રેલીમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે ચાલતા ઝેરીલા ભાષણોની વચ્ચે પીએમ મોદીએ બાળકો સાથે વાત કરી હતી. કલબુર્ગીમાં રોડ શો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી અને મજાક કરતા દેખાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથથી બાળકો સાથે રમત પણ રમી હતી અને બાળકોને શું કરે છે ક્યાં ભણે છે તેવા પ્રશ્નો પણ કર્યા હતા. બધાએ અલગ અલગ જવાબ આપ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે કોઈને પ્રધાનમંત્રી બનવાનું મન નથી થતું? 


જવાહરલાલ નહેરૂને પણ પ્રિય હતા બાળકો!

આ વીડિયોની વાત કરીએ તો આ ઘટનાથી જવાહર લાલ નહેરુની યાદ આવી જાય છે. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને પણ બાળકો અતિ પ્રિય હતા. તેમને પ્રેમથી ચાચા નહેરૂ પણ સંબોધવામાં આવતા હતા. એટલે જ તેમના જન્મ દિવસને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે... આ આપણા દેશના રાજનેતાઓની સુંદરતા છે કે તે આટલા વ્યસ્ત સમયમાં પણ દેશના ભવિષ્ય સાથે સમય વિતાવી લે છે અને તેમને દેશ માટે કંઈક કરી બતાવાની અપ્રત્યક્ષ રીતે પ્રેરણા આપે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.