એક પ્રમાણિક પરીક્ષાર્થીના કારણે બહાર આવ્યું ડમી ઉમેદવાર કૌભાંડ, જાણો ઈનસાઈડ સ્ટોરી


  • Published By :
  • Published Date : 2023-04-05 18:48:28

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા હોય કે પછી સ્પર્ધાત્મક કસોટી ગેરરિતીએ મોટી સમસ્યા બની ગઈ છે. જાણીતા વિદ્યાર્થી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીનો ઉપયોગ થતો હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. આપણી સિસ્ટમ કેટલી હદે પાંગળી થઈ ગઈ છે કે પરીક્ષા આપનારો કોઈ ડમી ઉમેદવાર છે તે પણ પકડી શકતી નથી. સરકારી નોકરી માટે લોકો તમામ હદો વટાવી રહ્યા છે. ઘણી વખત એવું બને છે કે પૈસાના જોરે ખોટા સિક્કાઓ સિસ્ટમમાં આવી જાય છે. અને ખરેખર લાયક ઉમેદવારોને આત્મહત્યા કરવાનો વારો આવે છે.


ડમી ઉમેદવાર કૌંભાડ કઈ રીતે સામે આવ્યું?


યુવરાજ સિંહ રાજ્યમાં વિવિધ સરકારી વિભાગો માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોનું મોટું રેકેટ બહાર લાવ્યા છે. આ ડમી ઉમેદવારો કોઈ અન્યને સરકારી નોકરી મળે તે માટે પૈસા લઈને પરીક્ષા આપે છે. ખુબ જ સિફતપુર્વક થતી આ ગેરરીતી એક મહેનતુ અને પ્રમાણિક યુવકના કારણે બહાર આવી છે. 6 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો આ યુવક mphwની પરીક્ષામાં માત્ર 0.10 માર્ક્સથી રહી જતા તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેની બહેને યુવરાજ સિંહને ફોન કરને જાણ કરી અને ત્યાર બાદ તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચાલતા ડમી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 


પૈસાના જોરે સરકારી નોકરી


34 વર્ષીય પંડ્યા યુવાને  યુવરાજ સિંહને જણાવ્યું કે ભાવનગર અને તેની આસપાસના ગામોમાં પાલિવાલ સમાજના યુવાનો પૈસાના જોરે પરીક્ષામાં ડમી ઉમેદાવારોને બેસાડીને સરકારી નોકરી મેળવી લે છે. જેના કારણે તેના જેવા લાયક ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું છે. આવા સેંકડો લોકો આજે સિસ્ટમનો એક ભાગ બની ગયા છે. આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. આવા ડમી ઉમેદવારોના કારણે સરકારી તંત્રને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે તે વિચારતા જ મગજ બહેર મગજ બહેર મારી જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ(ભૂતિયા) બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને ભાવનગરની આસપાસના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે, પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, ટિમગણા, અગિયાળી આ ડમી ઉમેદવાર રેકેટ ચાલી રહ્યું છે.


સરકારી નોકરી માટે તમામ સમાજોમાં હોડ


ગુજરાતમાં સરકારી નોકરીમાં તેમની જાતિનું પ્રભુત્વ વધે તે માટે તમામ સમાજો સક્રિય છે. સમાજના અગ્રણીઓ તેમના સમાજના યુવાનોને નોકરીઓ મળે તે માટે તમામ હદો વટાવી રહ્યા છે. યુવરાજ સિંહે તેમની પત્રકાર પરિષદમાં ભાવનગરના પીપલા ગામની એક વ્યક્તિ હરિ ડોનનો ઉલ્લેખ કર્યો છે. આ વ્યક્તિ હાલ હયાત નથી પણ તેમણે તેની જાતિના ઉમેદવારોને સરકારી નોકરી મળે તે માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જો કે આવા સમાજ અગ્રણીઓ અપ્રત્યક્ષ રીતે તેમની જ જાતિના અન્ય ગરીબ ઉમેદવારોને પણ નુકસાન કરતા હોય છે. 



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.