ગુજરાતમાં કમોસમી વરસાદના એંધાણ, વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2022-12-11 12:39:00

ગુજરાતમાં ઠંડીનો ચમાકારો અનુવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. ત્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. એવું માનવામાં આવે છે કે બંગાળની ખાડીમાં અથવા તો અરબી સમુદ્રમાં કોઈ પણ પરિવર્તન આવે છે તો તેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડતી હોય છે. ત્યારે ચક્રવાતી તોફાન મૈડુસને કારણે ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ત્રણ દિવસ માટે રહી શકે છે વરસાદી માહોલ

દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચક્રવાતી તૂફાનને કારણે ભારે નુકસાન થયું છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ચક્રવાતની અસર ગુજરાત પર પણ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનુમાન પ્રમાણે ભર શિયાળે ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. 


કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી 

12 અને 13 ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં આ ચક્રવાતી તૂફાનની અસર વર્તાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર દેખાઈ શકે છે. ડાંગ, નવસારી, વલસાડમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના હાલ દેખાઈ રહી છે. કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કમોસમી વરસાદ થશે તે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી મહેનત પાણીમાં જશે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.