ગુજરાતમાં કમોસમી વરસાદના એંધાણ, વધી ખેડૂતોની ચિંતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-11 12:39:00

ગુજરાતમાં ઠંડીનો ચમાકારો અનુવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. ત્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. એવું માનવામાં આવે છે કે બંગાળની ખાડીમાં અથવા તો અરબી સમુદ્રમાં કોઈ પણ પરિવર્તન આવે છે તો તેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડતી હોય છે. ત્યારે ચક્રવાતી તોફાન મૈડુસને કારણે ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ત્રણ દિવસ માટે રહી શકે છે વરસાદી માહોલ

દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચક્રવાતી તૂફાનને કારણે ભારે નુકસાન થયું છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ચક્રવાતની અસર ગુજરાત પર પણ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનુમાન પ્રમાણે ભર શિયાળે ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. 


કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી 

12 અને 13 ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં આ ચક્રવાતી તૂફાનની અસર વર્તાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર દેખાઈ શકે છે. ડાંગ, નવસારી, વલસાડમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના હાલ દેખાઈ રહી છે. કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કમોસમી વરસાદ થશે તે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી મહેનત પાણીમાં જશે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે.   




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.