Unseasonal Rainને કારણે જગતના તાતની વધી ચિંતા, કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનો કરાશે સર્વે, રાઘવજી પટેલ દ્વારા કરાઈ જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-05-14 17:31:51

ગુજરાતના હવામાનમાં એકા એક પલટો આવ્યો છે. ગઈકાલે અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો જેને કારણે જગતના તાતની સ્થિતિ કફોડી થઈ ગઈ છે..  પાકને નુકસાન થતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આગામી દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે.. કૃષિ મંત્રીએ પાક નુકસાનનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.  રાજ્ય સરકારે માવઠાથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવાના આદેશ આપી દીધા હતા.   


કૃષિમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત 

જગતના તાતની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. આ બધા વચ્ચે માવઠાને કારણે સ્થિતિ અત્યંત દયનિય થઈ ગઈ છે. પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.. આ બધા વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાઘવજી પટેલે પાક નુકસાનીનો પ્રાથમિક સરવેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપી દીધો છે. મળતી માહિતી અનુસાર 17 મે બાદ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે..  


નુકસાની વેઠવાનો વારો આવ્યો જગતના તાતને 

ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે.. કોઈ જગ્યા પર કરા પડ્યા છે તો કોઈ જગ્યા પર ધોધમાર વરસાદ આવ્યો છે.. હવામાનમાં આવેલા પલટાને કારણે ગરમીથી તો રાહત મળી પરંતુ તેનાથી જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે. જગતના તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોને રાહત મળે તેવી એક મહત્વપૂર્ણ જાહેરાત કૃષિ મંત્રીએ કરી છે. 


પાકને મોટા પાયે માવઠાને કારણે પહોંચ્યું છે નુકસાન

પાક નુકસાનીનો પ્રાથમિક સરવે કરી રિપોર્ટ રજૂ કરવા માટે કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે તેવી વાત કૃષિમંત્રીએ કરી હતી. મહત્વનું છે કે અચાનક પડેલા માવઠાને કારણે કેરી,  ડાંગર, પપૈયા, શાકભાજી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મહત્વનું છે કે 16 તારીખ સુધી રાજ્યનું વાતાવરણ એવું જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.