આ સ્વભાવને કારણે PM Modi જીતી લે છે લોકોનું દિલ! સાંભળો Aditya Gadhviએ પીએમ મોદી માટે શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-03 12:22:19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશેષ ખાસિયત છે કે તે લોકો સાથે જલ્દી કનેક્ટ થઈ શકે છે. ગઈકાલે એક જાહેર સભાને જ્યારે પીએમ મોદી સંબોધી રહ્યા હતા તે વખતે એક દીકરી તેમનું પેઈન્ટિંગ લઈને ઉભી હતી. હજારોની જનમેદની વચ્ચે પણ પીએમ મોદીની નજર ભીડમાં ઉભી રહેલી દીકરી પર પડી અને મંચ પરથી તેમણે દીકરીને આશીર્વાદ આપ્યા. પેઈન્ટિંગને પોતાના સુધી પહોંચાડવા માટે તેમણે પોલીસ જવાનોને કહ્યું. હાથમાં પીએમ મોદીની તસવીર લઈને ઉભી રહેલી દીકરીને કહ્યું કે હાથ નીચે લઈ લે નહીં તો થાકી જઈશ. લોકોને પીએમ મોદીનો આ અંદાજ ખૂબ ગમ્યો હતો. ત્યારે આજે આદિત્ય ગઢવીએ પોતાની યાદો તાજા કરી છે. 

આદિત્ય ગઢવીનું ખલાસી સોન્ગ ખૂબ વાયરલ થયું  

ખલાસી સોન્ગે ન માત્ર સોશિયલ મીડિયા પર પરંતુ દરેક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી છે. નવરાત્રી દરમિયાન પણ આ સોન્ગ ખૂબ વાયરલ થયું હતું. યુટ્યુબ પર આ સોન્ગના view મિલિયન પર પહોંચી ગયા છે. મોટા લોકોથી લઈ બાળકોના મુખે આ ગીત સાંભળવા મળે છે. અનેક ઘણા બધાની રિલ્સમાં આ સોન્ગ સાંભળવા મળ્યું છે ત્યારે સોન્ગના સિંગર આદિત્ય ગઢવીએ એક ઈન્ટરવ્યુમાં પીએમ મોદી સાથેની વાતો યાદ કરી હતી. પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાનનો કિસ્સો ગુજરાતી ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ યાદ કર્યો છે. 


પીએમ મોદીની પ્રશંસામાં આદિત્ય ગઢવીએ કરી આ વાત 

આદિત્ય ગઢવીએ 2014 પહેલાની નરેન્દ્રભાઈ સાથેની મુલાકાતને યાદ કરી હતી. આદિત્યએ નરેન્દ્રભાઈના CM તરીકેના કાર્યકાળ દરમિયાન એક કાર્યક્રમમાં તેમની સાથે થયેલી મુલાકાતને યાદ કરી હતી. પીએમ મોદીના વ્યક્તિવ્યની પ્રશંસા તેમણે કરી હતી. કચ્છના રણોત્સવની પણ તેમણે પ્રશંસા કરી હતી. પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમનો એક ધ્યેય છે, ભારતને એક સ્થાન અપાવવું છે. આજના જમાનામાં કોઇ વ્યક્તિત્વ છે તો તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ પડકારો સ્વીકારે છે. તેમની પાસે ખૂબ જ સરસ વિઝન છે. જેમ કે, રણ તો છે, પરંતુ એનું શું કરીશું? પરંતુ રણોત્સવ શરૂ કરવો અને દેશ-વિદેશમાંથી લોકો ત્યાં આવે, કચ્છ સાથે જોડાય તેની સંસ્કૃતિ સાથે જોડાય. પીએમ મોદીના આ રણોત્સવના વિચાર પાછળ એક બહુ મોટો જેને કહેવાયને ફોર્સ છે.આ રીતે પીએમ મોદી લોકો સાથે જોડાય છે અને લાંબા સમય સુધી ચાલતી છાપ છોડી જાય છે...  



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..