આ સ્વભાવને કારણે PM Modi જીતી લે છે લોકોનું દિલ! સાંભળો Aditya Gadhviએ પીએમ મોદી માટે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-03 12:22:19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશેષ ખાસિયત છે કે તે લોકો સાથે જલ્દી કનેક્ટ થઈ શકે છે. ગઈકાલે એક જાહેર સભાને જ્યારે પીએમ મોદી સંબોધી રહ્યા હતા તે વખતે એક દીકરી તેમનું પેઈન્ટિંગ લઈને ઉભી હતી. હજારોની જનમેદની વચ્ચે પણ પીએમ મોદીની નજર ભીડમાં ઉભી રહેલી દીકરી પર પડી અને મંચ પરથી તેમણે દીકરીને આશીર્વાદ આપ્યા. પેઈન્ટિંગને પોતાના સુધી પહોંચાડવા માટે તેમણે પોલીસ જવાનોને કહ્યું. હાથમાં પીએમ મોદીની તસવીર લઈને ઉભી રહેલી દીકરીને કહ્યું કે હાથ નીચે લઈ લે નહીં તો થાકી જઈશ. લોકોને પીએમ મોદીનો આ અંદાજ ખૂબ ગમ્યો હતો. ત્યારે આજે આદિત્ય ગઢવીએ પોતાની યાદો તાજા કરી છે. 

આદિત્ય ગઢવીનું ખલાસી સોન્ગ ખૂબ વાયરલ થયું  

ખલાસી સોન્ગે ન માત્ર સોશિયલ મીડિયા પર પરંતુ દરેક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી છે. નવરાત્રી દરમિયાન પણ આ સોન્ગ ખૂબ વાયરલ થયું હતું. યુટ્યુબ પર આ સોન્ગના view મિલિયન પર પહોંચી ગયા છે. મોટા લોકોથી લઈ બાળકોના મુખે આ ગીત સાંભળવા મળે છે. અનેક ઘણા બધાની રિલ્સમાં આ સોન્ગ સાંભળવા મળ્યું છે ત્યારે સોન્ગના સિંગર આદિત્ય ગઢવીએ એક ઈન્ટરવ્યુમાં પીએમ મોદી સાથેની વાતો યાદ કરી હતી. પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાનનો કિસ્સો ગુજરાતી ગાયક કલાકાર આદિત્ય ગઢવીએ યાદ કર્યો છે. 


પીએમ મોદીની પ્રશંસામાં આદિત્ય ગઢવીએ કરી આ વાત 

આદિત્ય ગઢવીએ 2014 પહેલાની નરેન્દ્રભાઈ સાથેની મુલાકાતને યાદ કરી હતી. આદિત્યએ નરેન્દ્રભાઈના CM તરીકેના કાર્યકાળ દરમિયાન એક કાર્યક્રમમાં તેમની સાથે થયેલી મુલાકાતને યાદ કરી હતી. પીએમ મોદીના વ્યક્તિવ્યની પ્રશંસા તેમણે કરી હતી. કચ્છના રણોત્સવની પણ તેમણે પ્રશંસા કરી હતી. પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમનો એક ધ્યેય છે, ભારતને એક સ્થાન અપાવવું છે. આજના જમાનામાં કોઇ વ્યક્તિત્વ છે તો તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ પડકારો સ્વીકારે છે. તેમની પાસે ખૂબ જ સરસ વિઝન છે. જેમ કે, રણ તો છે, પરંતુ એનું શું કરીશું? પરંતુ રણોત્સવ શરૂ કરવો અને દેશ-વિદેશમાંથી લોકો ત્યાં આવે, કચ્છ સાથે જોડાય તેની સંસ્કૃતિ સાથે જોડાય. પીએમ મોદીના આ રણોત્સવના વિચાર પાછળ એક બહુ મોટો જેને કહેવાયને ફોર્સ છે.આ રીતે પીએમ મોદી લોકો સાથે જોડાય છે અને લાંબા સમય સુધી ચાલતી છાપ છોડી જાય છે...  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.