વાવાઝોડાને કારણે આ જગ્યાઓ પર શરૂ થયો ભારે વરસાદ! અનેક ગામોમાં છવાયો અંધારપટ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-15 11:07:43

બિપોરજોયને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસરો ગુજરાત પર દેખાઈ રહી છે. અનેક દરિયાઓ ગાંડાતુર બન્યા છે. ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે પોરબંદર, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારે પવન તેમજ વરસાદને કારણે નુકસાનીના પણ અનેક દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે અનેક વીજળીના થાંભલા પણ પડી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


અનેક જિલ્લાઓમાં શરૂ થયો વરસાદ!

દ્વારકા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે સાથે વરસાદ વરસવાની પણ શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. તે સિવાય અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તંત્ર દ્વારા પણ તૈયારીઓ થઈ ચૂકી છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ત્રણેય સેનાના પ્રમુખો સાથે આ મામલે બેઠક કરી હતી. 


અનેક ગામોમાં છવાયો અંધારપટ!

મહત્વનું છે કે વાવાઝોડું તો આવીને જતું રહેશે પરંતુ તેના દ્વારા મોટા પાયે નુકસાન થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક વીજપોલ પણ પડી જવાના સમાચાર સામે આવ્યા છે. વીજળીનો થાંભલો પડી જવાને કારણે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ભુજ જિલ્લાના 50 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વાવાઝોડાની ગંભીરતનાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોને બંધ કરવામાં આવ્યા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.