વાવાઝોડાને કારણે આ જગ્યાઓ પર શરૂ થયો ભારે વરસાદ! અનેક ગામોમાં છવાયો અંધારપટ, જાણો વિગતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-15 11:07:43

બિપોરજોયને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસરો ગુજરાત પર દેખાઈ રહી છે. અનેક દરિયાઓ ગાંડાતુર બન્યા છે. ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે પોરબંદર, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારે પવન તેમજ વરસાદને કારણે નુકસાનીના પણ અનેક દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે અનેક વીજળીના થાંભલા પણ પડી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


અનેક જિલ્લાઓમાં શરૂ થયો વરસાદ!

દ્વારકા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે સાથે વરસાદ વરસવાની પણ શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. તે સિવાય અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તંત્ર દ્વારા પણ તૈયારીઓ થઈ ચૂકી છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ત્રણેય સેનાના પ્રમુખો સાથે આ મામલે બેઠક કરી હતી. 


અનેક ગામોમાં છવાયો અંધારપટ!

મહત્વનું છે કે વાવાઝોડું તો આવીને જતું રહેશે પરંતુ તેના દ્વારા મોટા પાયે નુકસાન થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક વીજપોલ પણ પડી જવાના સમાચાર સામે આવ્યા છે. વીજળીનો થાંભલો પડી જવાને કારણે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ભુજ જિલ્લાના 50 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વાવાઝોડાની ગંભીરતનાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોને બંધ કરવામાં આવ્યા છે.   



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.