ટામેટાના વધતા ભાવને કારણે ગૃહિણી પરેશાન! ઋષિકેશ પટેલના આ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું! સાંભળો નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-26 13:47:55

ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 30-40 કિલો રૂપિયે મળતા ટામેટા આજે 200 રુપિયે, તેનાથી પણ વધારે મોંઘા ભાવે કિલોએ ટામેટા વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ પર નિયંત્રણ સરકાર લાવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ બધા વચ્ચે મંત્રી ઋષિકેશ પટેલે ટામેટાના ભાવને લઈ નિવેદન આપ્યું છે. વિવાદાસ્પદ નિવેદનને લઈ મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી - ઋષિકેશ પટેલ 

ચોમાસાની સિઝન નજીક આવતા જ શાકભાજીના અને તેમાં પણ ટામેટાના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા છે. દરેક શાકભાજીના ભાવ વધવાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. વધતા ભાવ પર નિયંત્રણ આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે, પરંતુ ભાવ ન ઘટ્યા. એક તરફ લોકો માગ કરી રહ્યા છે કે ટામેટાના ભાવ ઘટાડવામાં આવે તો બીજી તરફ ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું છે કે ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી. ટામેટા, બટાકા સહિતની વસ્તુ જે ગૃહિણીઓ માટે જરૂરી છે તે ડિમાન્ડ સપ્લાય પર આધાર રાથે છે. સમયની સાથે, સપ્લાય વધતા તે કંટ્રોલમાં આવતા હોય છે.  

ટામેટા મોંઘા થતાં થવા લાગી ટામેટાની ચોરી!

મહત્વનું છે કે ટામેટાના ભાવમાં સતત વધરો થઈ રહ્યો છે. એક સમયે ટામેટાના ભાવ ન મળતા ખેડૂતો રડી રહ્યા હતા. અનેક ખેડૂતોએ ટામેટાને ફેંકી દીધા હતા. પરંતુ ભારે વરસાદ સહિત અનેક કારણોસર એકાએક ટામેટાના ભાવમાં વધારો ઝિંકાયો છે. ભાવ વધવાને કારણે અનેક ચોરીની ઘટનાઓ પણ આપણી સામે આવી હતી. શાકભાજીના વેપારીઓએ પોતાને ત્યાં કેમેરા લગાવી દીધા હતા. અનેક એવા કિસ્સાઓ છે જેમાં ટામેટાની ખેતી કરી ખેડૂતો માલામાલ થઈ ગયા છે. ટામેટાના ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટમાંથી સેવ ટામેટાનું શાક ગાયબ થઈ ગયું હતું, એક તરફ શાકભાજી સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે મધ્યમવર્ગીય પરિવાર માટે ગુજરાન ચલાવવું અઘરૂં પડી રહ્યું છે. ત્યારે પ્રવક્તામંત્રીના આવા નિવેદનથી જાણે બળતામાં ઘી  હોમાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.