તહેવારો અને લગ્નસરાની સીઝનના કારણે સોનાની ડિમાન્ડ વધી, એક જ મહિનામાં આયાત બમણી થઈ


  • Published By :
  • Published Date : 2023-11-16 14:31:45

ભારતના લોકોને સોના પ્રત્યે સદીઓથી મોહ રહ્યો છે, દરેક લોકો સોનું ખરીદવા માગે છે. દેશમાં લગ્ન પ્રસંગ, તહેવારો કે સારા પ્રંસંગે સોનાની ભેટ આપવાની પરંપરા રહી છે. દિવાળી અને ધનતેરસ પર પણ ખૂબ જ સોનું ખરીદવામાં આવ્યું છે. જો કે ભારતીયોનો સોના પ્રત્યેનો આ મોહ દેશના અર્થતંત્રનો દાટ વાળી રહ્યો છે. ગત સપ્ટેમ્બર મહિનાથી સોનાની આયાત બે ઘણી થઈ ગઈ છે. આ ચક્કરમાં ઓક્ટોબર 2023 દરમિયાન દેશની વેપાર ખાધ વધીને 31 અબજ ડોલરથી પણ વધી ગઈ છે.  


આ મહિને 7.2 અબજ ડોલરનું સોનું આયાત થયું


ગત ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત વધીને લગભગ બેઘણી થઈ ગઈ છે. આ મહિનામાં 7.2 અબજ ડોલરનું સોનું વિદેશથી ખરીદવામાં આવ્યું જ્યારે તેના એક મહિના પહેલા જ સપ્ટેબર 2023 દરમિયાન 4.1 અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી, આ 95.4 ટકાની વૃધ્ધી છે.  


શા માટે વધી રહી છે સોનાની આયાત?


દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલ્ફેર એસોસિયેશનના અધ્યક્ષ વિમલ ગોયલનું કહેવું છે કે આ વધવાનું મુખ્ય કારણ ધનતેરસ અને દિવાળી છે. આ જ કારણે ભારતમાં ડિમાન્ડ ખુબ જ વધી જતા વેપારીઓને સોનાની આયાત કરવાની ફરજ પડી છે. ગોયલે વધુમાં જણાવ્યું કે આગામી 23 તારીખથી દેશભરમાં લગ્નસરાની સીઝન શરૂ થઈ રહી છે. આ પ્રસંગે સોનાની ખૂબ જ ખરીદી કરવામાં આવે છે. હવે નવેમ્બર મહિનામાં ઝવેરાતની ખરીદી ખુબ થશે તો તેને બનાવવા માટે સમય પણ લાગશે એટલા માટે જ એડવાન્સમાં જ સોનાની આયાત કરવામાં આવી છે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.