તહેવારો અને લગ્નસરાની સીઝનના કારણે સોનાની ડિમાન્ડ વધી, એક જ મહિનામાં આયાત બમણી થઈ


  • Published By :
  • Published Date : 2023-11-16 14:31:45

ભારતના લોકોને સોના પ્રત્યે સદીઓથી મોહ રહ્યો છે, દરેક લોકો સોનું ખરીદવા માગે છે. દેશમાં લગ્ન પ્રસંગ, તહેવારો કે સારા પ્રંસંગે સોનાની ભેટ આપવાની પરંપરા રહી છે. દિવાળી અને ધનતેરસ પર પણ ખૂબ જ સોનું ખરીદવામાં આવ્યું છે. જો કે ભારતીયોનો સોના પ્રત્યેનો આ મોહ દેશના અર્થતંત્રનો દાટ વાળી રહ્યો છે. ગત સપ્ટેમ્બર મહિનાથી સોનાની આયાત બે ઘણી થઈ ગઈ છે. આ ચક્કરમાં ઓક્ટોબર 2023 દરમિયાન દેશની વેપાર ખાધ વધીને 31 અબજ ડોલરથી પણ વધી ગઈ છે.  


આ મહિને 7.2 અબજ ડોલરનું સોનું આયાત થયું


ગત ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત વધીને લગભગ બેઘણી થઈ ગઈ છે. આ મહિનામાં 7.2 અબજ ડોલરનું સોનું વિદેશથી ખરીદવામાં આવ્યું જ્યારે તેના એક મહિના પહેલા જ સપ્ટેબર 2023 દરમિયાન 4.1 અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી, આ 95.4 ટકાની વૃધ્ધી છે.  


શા માટે વધી રહી છે સોનાની આયાત?


દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલ્ફેર એસોસિયેશનના અધ્યક્ષ વિમલ ગોયલનું કહેવું છે કે આ વધવાનું મુખ્ય કારણ ધનતેરસ અને દિવાળી છે. આ જ કારણે ભારતમાં ડિમાન્ડ ખુબ જ વધી જતા વેપારીઓને સોનાની આયાત કરવાની ફરજ પડી છે. ગોયલે વધુમાં જણાવ્યું કે આગામી 23 તારીખથી દેશભરમાં લગ્નસરાની સીઝન શરૂ થઈ રહી છે. આ પ્રસંગે સોનાની ખૂબ જ ખરીદી કરવામાં આવે છે. હવે નવેમ્બર મહિનામાં ઝવેરાતની ખરીદી ખુબ થશે તો તેને બનાવવા માટે સમય પણ લાગશે એટલા માટે જ એડવાન્સમાં જ સોનાની આયાત કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.