જોશીમઠમાં આવેલી આપદાને કારણે લોકો પોતાનું ઘર છોડવા બન્યા મજબુર


  • Published By :
  • Published Date : 2023-01-10 09:12:04

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જોશીમઠમાં સતત ભૂસ્ખલન થવાને પગલે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવી દીધા છે. સતત વધતા ખતરાને લઈને કેન્દ્ર સરકાર પણ આની પર ધ્યાન આપી રહી છે. કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેશે. ભૂસ્ખલનને પગલે અસુરક્ષિત મકાનોને પાડવાની શરૂઆત કરવામાં આવી ગઈ છે. મુખ્યસચિવ ડો.એસએસ સંધુએ અસુરક્ષિત ભવનોને તોડવાનો આદેશ આપ્યો છે.


કેન્દ્રની ટીમ જોશીમઠની મુલાકાત લેશે  

છેલ્લા ઘણા દિવસોથી જોશીમઠમાં જમીન ઘસી રહી છે. ઉત્તરાખંડના ચમોલીમાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી સતત આ ઘટના પર ધ્યાન આપી રહ્યા છે. અનેક વખત જોશીમઠની મુલાકાત પણ લીધી છે. વડાપ્રધાન મોદીએ પણ જોશીમઠની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી ઉપરાંત PMOમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

જર્જરિત ઈમારતોને તોડવાની કરાશે કામગીરી 

કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેવાના છે. હિમાંશુ ખુરાનાએ માહિતી આપતા કહ્યું કે જળ શક્તિ મંત્રાલયની એક ટીમ અહીંયા આવી હતી અને મંગળવારે કેન્દ્રની ટીમ અહીંની મુલાકાત લેવા આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ભવન અનુસાધન સંસ્થાની દેખરેખ હેઠળ ઘરો તેમજ ઈમારતોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 


લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા 

વધુમાં તેમણે કહ્યું કે જે જગ્યાઓ પર ઈમારતોને તોડવાની કામગીરી કરવામાં આવશે તે જગ્યાને પ્રશાસને અસુરક્ષિત ઝોન જાહેર કરી ખાલી કરાવી દીધું છે. ઘર છોડતા લોકો ભાવુક પણ થયા હતા. આ કામમાં હવામાન સૌથી મોટી ચૂનોતી સાબિત થઈ શકે છે. વરસાદ અથવા તો હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે સૌથી વધારે અસરગ્રસ્ત છે ઈમારતોને સૌથી પહેલા તોડવામાં આવશે. 678 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.