ભારે પવન વહેવાને કારણે ગીરનાર પર ચાલતી રોપ-વે સેવા બંધ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-01-04 13:36:57

સમગ્ર દેશમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરભારતમાં કાતીલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે  વધતા પવનને કારણે જૂનાગઢમાં ચાલતી રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. સાથે જ દ્વારકામાં ચાલતી ફેરી બોટને પણ બંધ કરી દેવાઈ છે.



મુસાફરોને પડી મુશ્કેલી

ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. અનેક શહેરોના તાપમાનના ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, સુરત, નલિયામાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે ગીરનાર પર્વત પર ચાલતી રોપ-વે સેવાને હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. રોપવે સેવા બંધ કરી દેવામાં આવતા ત્યાં આવેલા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 


ફેરી બોટ સેવા પણ બંધ કરી દેવાઈ 

શિયાળામાં અનેક લોકો ફરવા નીકળતા હોય છે. વિકએન્ડ તેમજ ક્રિસમસને કારણે પ્રવાસીઓમાં ભારે ઘસારો જોવા મળ્યો છે. ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પર પ્રવાસીનો ઘોડાપૂર જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતા ગીરનારમાં ચાલતી રોપ-વે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટની સેવા પણ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. બંને સેવાઓ બંધ થઈ જતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.              



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.