જીપીએસસીની આન્સર કીમાં ગડબડ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન, આ મામલે વિદ્યાર્થીઓ કરવાના છે જીપીએસસી ભવન ખાતે રજૂઆત!


  • Published By :
  • Published Date : 2023-04-20 14:01:31

પરીક્ષામાં છબરડાઓ થતા હોવાના કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે છે. સરકારી પરીક્ષાઓમાં પણ અનેક વખત છબરડાઓ થવાની વાત સામાન્ય થઈ ગઈ છે. ત્યારે જીપીએસસી પરીક્ષામાં પણ છબરડા હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરી 2023ના રોજ જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ 18 એપ્રિલના રોજ આવ્યું હતું. 





આન્સર કીમાં જવાબ અલગ અલગ હોવાને કારણે વિદ્યાર્થીઓને થાય છે નુકસાન!

પરિણામ આવે એની પહેલા આન્સર કી અપલોડ કરવામાં આવતી હોય છે. જીપીએસસી પરીક્ષામાં એવા અનેક પ્રશ્નો હતા જેમાં પીએકે એટલે કે પ્રિલિમરી આન્સર કીમાં અલગ જવાબ હોય છે અને ફાઈનલ આન્સર કીમાં અલગ જવાબ હોય છે. આ આન્સર કીના આવ્યા બાદ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવે છે. પરંતુ બંને આન્સર કીમાં આપવામાં આવેલા જવાબો જૂદા હોય છે અને અમુક પ્રશ્ન તો એવા પણ હોય છે જે પુસ્તકમાં આપેલી માહિતીથી અલગ હોય છે. બુકમાં જે જવાબ આપવામાં આવતા હોય તે અલગ હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે. એનસીઆરટીની પુસ્તકમાં જે જવાબ આપવામાં આવ્યો હોય તે આન્સર કી સાથે મળતો નથી. જેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. 


વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત કરાઈ છે રજૂઆત! 

આ મામલામાં સુધારા કરવામાં આવે તેવી રજૂઆત અનેક વખત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોઈ સુધારા કરવામાં આવ્યા ન હતા. જેને લઈ વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે વિદ્યાર્થીઓએ છેલ્લી વખત ડીવાયએસસોમાં પ્રશ્નોના જવાબ સુધારવા માટે રજૂઆત કરી હતી પરંતુ સુધારા કરવામાં નથી આવ્યા. જેને કારણે મેઈન્સની પરીક્ષા પણ વિદ્યાર્થીઓ આપી શકતા નથી. 


વિદ્યાર્થીઓ પ્રૂફ સાથે જીપીએસસી ભવન ખાતે જઈને કરશે રજૂઆત! 

આ મામલાને લઈ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જીપીએસસી ભવન જવાના છે. તમામ પ્રુફ વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. કયા પ્રશ્નમાં શું લોચા છે તેના પ્રૂફ પણ ભેગા કરવામાં આવ્યા છે. પ્રશ્નોની સાથે સાથે આન્સર કીમાં શું લખવામાં આવ્યું છે અને હકીકતમાં શું જવાબ છે એ પણ બતાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં પરીક્ષાઓ ક્યારે વ્યવસ્થિત રીતે કોઈ પણ લોચા વગર લેવાશે તે એક પ્રશ્ન છે. શૈક્ષણિક વિભાગની ભૂલોને કારણે વિદ્યાર્થીઓને સજા ભોગવી પડતી હોય છે. ત્યારે એક પરીક્ષા તો સરકાર વ્યવસ્થિત લે તેવી વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.