બાઈપરજોય ચક્રવાતને લઈ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું જાહેર કરાયું એલર્ટ! જુઓ શું છે વાવાઝોડાને લઈ અપડેટ?


  • Published By :
  • Published Date : 2023-06-06 17:14:13

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું સક્રિય થયું છે જેને લઈ તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં જે વાવાઝોડું આવવાની શક્યતા છે તેનું નામ બિપોરજોય પાડવામાં આવ્યું છે 

ગુજરાત પર તોળાઈ રહ્યું છે ચક્રવાતનું સંકટ!

વરસાદનું આગમન દેશમાં ગમે ત્યારે થઈ શકે છે. ચોમાસું અરબ સાગર પહોંચી ગયું છે. તો બીજી તરફ ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. આગામી દિવસોમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. જે વાવાઝોડાની વાત કરવામાં આવી છે તેને બાઈપરજોય નામ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા આ ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે. આ ચક્રવાતને લઈ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અસર જોવા મળી શકે છે.  


વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી!

વાવાઝોડાને પગલે 9 અને 10 જૂને વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ જઈ રહી છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. 10 જૂન જ્યારે ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે.  12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.  ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે. સમુદ્રમાં  હળવું દબાણ સર્જાતાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.