બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી મહિલા પાસેથી 4.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-11-08 15:04:47

રાજ્યમાં નશાકારક દ્રવ્યોની તસ્કરીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં ડ્રગ્સ માફિયા સક્રિય છે અને નશાકારક પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ડ્રગ્સનો જથ્થો પણ અવારનવાર પકડાય છે પણ હકીકત એ પણ છે કે જેટલું ડ્રગ્સ ઝડપાય છે તેનાથી અનેક ગણા ડ્રગ્સનું વેચાણ પણ થઈ રહ્યું છે. આજે બનાસકાંઠાના જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો.


મહિલા પાસેથી મળ્યું 4.5 કરોડનું ડ્રગ્સ


બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એક ખાનગી બસમાંથી પોલીસે ડ્રગ્સનો ઝથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક એલસીબી અને એસઓજીને બાતમી મળી હતી અને જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબની બસ ચેકપોસ્ટ પર આવતા જ તેમાં તલાશી લેતા એક મહિલા પાસેથી ડ્રગ્સનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે તે મહિલાની મહિલાની અટકાયત કરીને અમીરગઢ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે તે મહિલાની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે તે જાણવા માટે તપાસ શરૂ કરી છે કે 4 કરોડ 50 લાખ રુપિયાની કિંમતનુ આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.