સુરતમાં ઝડપાયું 1.65 કરોડની કિંમતનું 1.71 કિલો MD ડ્રગ્સ, રાજસ્થાની યુવકની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 12:15:49

ગુજરાતમાં ડ્રગ્સની તસ્કરીના રેકેટ અવારનવાર પકડાતા રહે છે, રાજ્યમાં ડ્ર્ગ્સનો મોટો કારોબાર ચાલતો હોય તેવું તાજેતરમાં ઝડપાયેલા ડ્ર્ગ્સના જથ્થા પરથી જણાય છે. સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી પોલીસે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સારોલી પોલીસે 1 કરોડ 65 લાખની કિંમતના 1.71 કિલો MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવક અજમલને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.


ડ્રગ્સ તસ્કરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા


ડ્રગ્સની તસ્કર રાજસ્થાની યુવક અજમલની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા ડ્રગ્સ માફીયાનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રરત અલી સૈયદ(31)(રહે, પ્રતાપનગર, અજમેર, રાજસ્થાન) છે અને તે ડ્રાઇવીંગનું કામ કરે છે. વધુમાં તે એમડી ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતેથી બલ્લુ નામના ડ્રગ્સ માફીયા પાસેથી લઈ આવ્યો હતો. ડ્રગ્સ માફીયા લકઝરી બસમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો.


વધુ તપાસ ક્રાઇમબ્રાંચ કરશે


પોલીસની પૂછપરછમાં અજમલે આ અગાઉ ત્રણથી ચાર વખત MD ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પણ સ્વીકાર્યું છે. હાલ સારોલી પોલીસે પૂછપરછ કરીને વધુ તપાસ માટે તેને ક્રાઇમબ્રાંચને સોંપી દીધો છે. ક્રાઈમ બ્રાંચે અફઝલ આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનો હતો તે જાણવા ચક્રો ગતિમાન કર્યા છે.


હર્ષ સંઘવીએ કર્યું હતું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ


અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમાં ગત 25 સપ્ટેમ્બરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સારોલી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સારોલી પોલીસ સ્ટેશન શરૂ થયા ને પહેલો કેસ ડ્રગ્સનો નોંધાયો છે.




આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.