મણિનગરમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેતા નબીરાએ સર્જ્યો અકસ્માત! જો સમયસર લોકો ન હટયા હોત ન ટળી હોત જાનહાની! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-24 10:11:19

અમદાવાદમાં હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલા પરિવારોના આંસુ સૂકાયા નથી, આ વાતની ચર્ચા થતી નથી અટકી, ત્યાં તો અમદાવાદના મણિનગરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો છે. રસ્તો જાણે તેમના જ માટે બનાવવામાં આવ્યો હોય તેવી રીતે અનેક લોકો ન માત્ર નબીરાઓ પરંતુ અનેક સામાન્ય માણસો વાહન ચલાવતા હોય છે. ઓવરસ્પીડિંગને કારણે અનેક અકસ્માત સર્જાયા છે. અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકો કલર માટે, સોશિયલ મીડિયા પર અપલોડ કરવા માટે સ્ટંટ કરતા હોય છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં નશાના ધૂત વ્યક્તિએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને તે ગાડી બાંકડા સાથે ભટકાઈ ગઈ. બાંકડા પર બેઠેલા વ્યક્તિઓની સમયસૂચક્તાને કારણે તેમનો જીવ બચી ગયો પરંતુ મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ તે કારચાલકને દબોચી દઈ પોલીસને હવાલે કરી દીધો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ગાડીમાંથી અનેક બોટલો પણ મળી છે.  


બેફામ રીતે ગાડી ચલાવતા વ્યક્તિએ બાંકડા પર ચઢાવી ગાડી  

પહેલાં અમે કહેતા હતા કે રસ્તા પર વાહન ચલાવવું જોખમી છે. સાવધાની રાખી વાહન ચલાવવાની સલાહ લોકો આપતા હતા. પરંતુ હવે તો રસ્તા પર રાખવામાં આવેલા બાંકડા પર પણ બેસવું જોખમી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે રસ્તા તમારા બાપના નથી પરંતુ હવે એ કહેવાની નોબત આવી છે કે ફૂટપાથ પણ તમારા બાપની નથી. અનેક અકસ્માતો એવા જોયા છે જેમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે ગાડી ફૂટપાટ પર ચઢી જતી હોય છે. થોડા દિવસો પહેલા ઈસ્કોન ખાતે બનેલી ઘટનાને લઈ ચર્ચાઓ શાંત નથી થઈ. લોકોનો રોષ શાંત નથી થયો. ત્યારે નશામાં ધૂત હોવાને કારણે એક વ્યક્તિએ મણિનગરના જવાહર ચોક પાસે આવેલા પ્રભુ એપાર્ટમેન્ટ નજીક આવેલા બાંકડા પર કાર ચડાવી દીધી. ગાડીની ટક્કર બાંકડા સાથે થઈ. આ ઘટના કાલ રાત્રે બાર વાગ્યે બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે.   


બાંકડા પર બેઠેલા વ્યક્તિઓને મળ્યું જીવનદાન! 

બાંકડા પર બે ત્રણ લોકો બેઠા હતા. સ્પીડમાં આવેલી ગાડીને જોતા તેઓ અચાનક ઉભા થઈ ગયા અને સદનસીબે તેમનો જીવ બચી ગયો. બાંકડા પર બેઠેલા લોકોનો બીજો જન્મ થયો હોય તેવી વાતો બાંકડા પર બેઠેલા લોકો કરી રહ્યા છે. મહત્વનું છે કે હિટ એન્ડ રન કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નશાની હાલતમાં ગાડી ચલાવનારાઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. 



આ ઘટનામાં જાનહાની ટળી પરંતુ કોઈના મોત થયા હોત તો જવાબદાર કોણ? 

જ્યાં સુધી આપણે આપણી જવાબદારી સમજી કાયદાનું પાલન નહીં કરીએ ત્યાં સુધી અનેક લોકોના જીવ આવા અકસ્માતોમાં જતા રહેશે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ થઈ હોત તો જવાબદાર કોણ હોત? ડ્રાઈવીંગ કરતી વખતે તમને ભલે પોતાના જીવની કિંમત નથી પરંતુ તમને કોઈ બીજાનો જીવ લેવાનો અધિકાર પણ નથી? તમારા માટે એ માત્ર સ્પીડની મજા હોય પરંતુ કોઈ બીજા માટે એ ઝડપની મજા મોતની સજા ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!