માતાજીની વેશભૂષા ધારણ કરી દિકરીઓ ગરબે ઘૂમી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 15:05:03

નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે. આસો નવરાત્રી દરમિયાન ગરબાનું વિશેષ મહત્વ રહેલુ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા ઘૂમવામાં આવે છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વાગડ વિસ્તારમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ શક્તિના નવ રુપો ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા. 

વિવિધ દેવીઓનું રુપ લઈ ખેલૈયાઓએ કર્યા ગરબા  

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના નવ  સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. એક તરફ શહેરમાં જ્યાં ખેલૈયાઓ ડીજેના તાલે ગરબા રમે છે તો ભચાઉ તાલુકાના વાઢિંયા ગામે પોતાની પરંપરા જાળવી રાખી છે. જે અંતર્ગત નવદુર્ગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના હાઈટેક જમાનામાં પણ લોકો પોતાની પરંપરાને ભૂલ્યા નથી. ખેલૈયાઓઅ આગવી શૈલીમાં સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાની રમઝટ બોલાવી હતી. વાગડ વિસ્તારના વાઢિંયા ગામ સહિત આસપાસના ગામોમાં પણ આધ્ય શક્તિના ભક્તિ રંગમાં અબાલ વૃધ્ધ સૌ કોઈ રંગાઈ ગયા હતા. ત્યારે ભચાઉ તાલુકાના વાઢિંયા ગામમાં શ્રી દેવડા પરિવાર મહાકાલી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત પટેલ સમાજ દ્રારા નવદુર્ગાના સ્વરૂપ રુપે નાની બાળાઓ દુર્ગાની વેશ ભૂષામાં ગરબા રમતા જોવા મળી હતી.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.