ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ.રાજેન્દ્ર ખીમાણીએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-01-15 21:06:28

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ અંતે રાજીનામું આપી દીધું છે, ખીમાણીએ હટવું પડે એ પહેલાં તેમણે રાજીનામું આપી  દેવાનું મુનાસિબ માન્યું છે. કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા તેમના રાજીનામાનો તત્કાળ સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ આજે 15 જાન્યુઆરીએ કુલનાયક પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર આગામી તારીખ 17 મી ફેબ્રુઆરી સુધીમાં ડૉ. રાજેન્દ્ર ખીમાણીને કુલનાયકના હોદ્દા પરથી ખસેડવા પડે એ નિશ્ચિત હતું. આ સંભાવનાને પગલે જ ડૉ.રાજેન્દ્ર ખીમાણીએ આજે રાજીનામું આપી દીધું છે. 


UGCએ ઠેરવ્યા હતા ગેરલાયક


યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ ડો.રાજેન્દ્ર ખીમાણીની કુલનાયક તરીકેની નિમણૂક ગેરલાયક ઠેરવીને તેમને પદ પરથી હટાવવાની ભલામણ વિદ્યાપીઠના કુલપતિને કરી હતી. યુજીસીની આ ભલામણ સામે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ગુજરાત હાઇકોર્ટે યુજીસીની ભલામણ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો અને હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)એ જે ભલામણો કરી છે તે યોગ્ય છે અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ યુજીસીની ભલામણના આધારે જ નિર્ણય કરે. ગુજરાત હાઇકોર્ટના આ આદેશને પગલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણીને કુલનાયક પદેથી હટાવવાનો નિર્ણય લેવાના જ હતા એ દરમિયાન કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ પરિસ્થિતિનું પૂર્વાનુમાન કરીને આજે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પોતાનું રાજીનામું આપી દીધું છે. 


ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો


યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-યુજીસીની ભલામણ અનુસાર ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો છે અને ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે ગુજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ પ્રોફેસર ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.