અમરેલીમાં રેતી ચોરી રેકેટનો ભાજપના જ નેતાએ જ કર્યો પર્દાફાશ, એક ટ્વિટથી રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-02-14 21:12:22

અમરેલી જિલ્લામાં રેતી ચોરી મોટી સમસ્યા બની છે, રેતી માફિયાઓ નિચિંત બનીને રેતી ચોરી કરતા રહે છે. તેમની ધાક એવી છે કે સ્થાનિક લોકો પણ હરફ ઉચ્ચારી શકતા નથી. જો કે ભાજપના મોટા ગજાના સ્થાનિક નેતા ડોક્ટર ભરત કાનાબારે હિંમત કરીને ખુલ્લેઆમ ચાલતા આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલાના ભાક્ષી ગામે પાસે ચાલી રહેલા ખનન મામલે તેમણે PM મોદીને ટેગ કરીને ટવીટ કરતા ખળભળાંટ મચી ગયો છે.


 ડો. ભરત કાનાબારે શું ટ્વીટ કર્યું?


અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં ભરત કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. તેમણે કહ્યું કે, અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ ! રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત. તેમણે તે ઉપરાંત તેમણે તે પણ લખ્યું છે કે, સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોક પ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા!.


રાજકારણ ગરમાયું  


ડો. ભરત કાનાબારે તેમના ટ્વીટમાં કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપો પણ ટ્વિટ મારફતે કર્યા છે. તેમણે ટ્વીટમાં સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિનો ઉલ્લેખ કરી તેમના દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાનો પણ આરોપ લગાવ્યો છે. આ એક માત્ર ટ્વિટથી સ્થાનિક અને ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. 


મામલતદારે રેતી ચોરીનું રેકેટ પકડ્યું 


રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી થઈ રહી છે. તેની બાતમી મળતા મામલતદાર સંદીપ સિંહ જાદવ મોડી રાતે અલગ અલગ ટીમો બનાવી ભાક્ષી ગામ પહોંચ્યા હતા. બાદમાં તેમણે 1 હિટાચી મશીન અને 4 બોટ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજારો લાખો ટન રેતી ચોરી કર્યાનું મામલતદારની તપાસમાં ખુલ્યું છે. આ રીતે મામલતદારે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેટ પકડ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.