વેરાવળના ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે સાંસદ રાજેશ ચુડાસમા અને પિતા સામે FIR નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-15 22:08:39

વેરાવળના નામાંકિત ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં વેરાવળ પોલીસ સીટી પોલીસે આખરે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધી છે. સાંસદ રાજેશ ચુડાસમા તથા તેમના પિતા નારણ ચુડાસમા સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. વેરાવળ પોલીસ સીટી પોલીસ સ્ટેશનમાં કલમ 174 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળ પોલીસ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધતી ન હતી. પોલીસ ફરિયાદ ન લેતા ડૉક્ટર અતુલ ચગનો પુત્ર હિતાર્થ હાઈકોર્ટ પહોંચ્યો હતો અને કંટેમ્ટ અરજી દાખલ કરી હતી.


12 ફેબ્રૂઆરીના રોજ ડૉ.ચગે કરી હતી આત્મહત્યા


સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટર અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા  લોહાણા સમાજના તબીબ ડો.અતુલ ચગે પોતાના ક્લિનીકમાં જ 12 ફેબ્રૂઆરીના દિવસે પંખે લટકી ગળેફાંસો ખાધો હતો. ડૉ.ચગે આપઘાત કરી લેતા વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળએ દોડી આવી હતી.


સુસાઈડ નોટમાં થયો હતો ઘટસ્ફોટ

 

ડો.અતુલ ચગની આત્મહત્યા બાદ હોસ્પિટલ પર રાજકીય અને સામાજિક આગેવાનો અને તબીબોનો જમાવડો થયો હતો. તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લાઇનની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું’ તેમ લખી અને નીચે સહી કરી હતી. ડો. અતુલ ચગ પાસેથી સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. 


હાઈકોર્ટે ઉધડો લીધો હતો


ડૉ.ચગના પુત્ર હિતાર્થની અરજી પર  18 એપ્રિલના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડૉ.ચગના આપઘાત કેસ અંગે હાઈકોર્ટમાં 2 કલાકથી વધુ દલીલ ચાલી હતી. હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણીમાં PI સિવાયના અન્ય પક્ષકારોએ જવાબ રજૂ ન કરવા અને ખાનગી વકીલ ન રોકવા પર અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારના વકીલે જણાવ્યુ હતુ કે, 12 ફેબ્રૂઆરીના દિવસે આ ઘટના બની હતી અને આજ દિવસે ડૉ.ચગે નામ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી. 17 ફેબ્રૂઆરીના દિવસે ડૉ.ચગના પુત્ર હિતાર્થે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી , તેમ છતાં પોલીસ તપાસ ચાલુ જ હોવાની વાત કરી રહી છે અને FIR નોંધતી નથી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!