શરદ પૂનમના દિવસે ચંદ્રના પ્રકાશમાં મૂકેલા દૂધ પૌંઆ ખાવાનું હોય છે મહત્વ, જાણો તેની પાછળ રહેલું કારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 12:27:42

હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ આસો મહિનાની પૂનમ એટલે શરદ પૂનમને વિશેષ માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. શરદ પૂનમના દિવસે દૂધ પૌંઆ ખાવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવી છે. આ દિવસે ચાંદીના વાસણમાં દૂધ પૌંઆ ચંદ્ર સમક્ષ રાખવામાં આવે છે. ચંદ્રના કિરણને આપણા શરીરમાં ઉતારવા દૂધ પૌંઆનું સેવન કરવામાં આવે છે.

આ વર્ષે 5 શુભયોગમાં ઊજવાશે શરદ પૂનમઃ 7 વર્ષ પછી શુક્રવાર અને શરદ પૂર્ણિમાનો  યોગ બન્યો | sharad purnima 2020 lunar rays of sharad purnima have special  importance destroyer of every disease

શા માટે આસો મહિનાની પૂનમ છે ખાસ?

આસો મહિનાની પૂનમ દરમિયાન ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં રહે છે. અશ્વિની નક્ષત્રના સ્વામી અશ્વિની કુમારો છે. અશ્વિની કુમારોને દેવોના વૈદ્ય માનવામાં આવે છે. તેમના દ્વારા દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિ વર્ષમાં માત્ર શરદ પૂનમના દિવસે જ બને છે. આને કારણે શરદ પૂર્ણિમાં ઉજવવામાં આવે છે. અનેક રોગોથી પણ છૂટકારો મળે છે. 

Doodh Pauva (Sharad Purnima Special Recipe) | Gujarati Sweet Recipe |  Gujarati Rasoi

શા માટે દૂધ-પૌઆ ખાવામાં આવે છે? 

વેદોમાં પાંચ વસ્તુને અમૃત સમાન ગણવામાં આવ્યા છે. દૂધને અમૃત ગણવામાં આવ્યું છે. દૂધ ઉપર ચંદ્રનો ખાસ પ્રભાવ રહેલો હોય છે. ચંદ્રને સફેદ વસ્તુ અતિ પ્રિય હોય છે. ઠંડીની સિઝનમાં શક્તિ મળી રહે તે માટે દૂધમાં પૌઆનું તેમજ ડ્રાયફૂટનું મિશ્રણ કરવામાં આવે છે. આ વસ્તુનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચંદ્ર સમક્ષ દૂધ પૌઆ મૂકવાથી તે અમૃત સમાન બની ગયા હોય તેવું માનવામાં આવે છે. ચાંદીના પાત્રમાં દૂધ પૌઆ ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે. કારણે કે ચાંદીથી પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.    




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.