22 મહિના બાદ રિ-એક્ટિવ થશે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ, એલોન મસ્કે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-11-20 14:22:37

એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન પોતાના હાથમાં સંભાળી છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર કર્યા છે. ત્યારે એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટરને રિ-એક્ટિવ કરવાની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2021થી ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ પ્રતિબંધિત હતું. ત્યારે એલોન મસ્કે પોલ કરી યુર્ઝર્સની આ અંગે રાય લીધી હતી. પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા એકાઉન્ટ ફરી એક્ટિવ કરવાના તરફેણમાં મતદાન આપ્યું હતું જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું.


2021થી ટ્રમ્પના એકાઉન્ટ પર મૂકાયો હતો પ્રતિબંધ 

2021માં યુએસમાં રમખાણ થયા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને અમુક અંશે જવાબદાર માનવામાં આવ્યા હતા. જેને કારણે ટ્વિટરના જૂના માલિકે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ એલોન મસ્કે જાહેરાત કરી હતી કે ટૂંક સમય બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ પુન:સ્થાપિત કરવામાં આવશે. 


ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવશે - મસ્ક

એલોન મસ્કે 19 નવેમ્બરના રોજ ટ્વિટર પર એક પોલ મૂક્યો હતો. અંદાજીત 1,50,85,458 લોકોએ પોલમાં ભાગ લીધો હતો. આ પોલ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ રિ-એક્ટિવેટ કરવું કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું હતું. આ પોલમાં ભાગ લેનારામાંથી 51.8 ટકા અકાઉન્ટ ફરી અકાઉન્ટએ ક્ટિવ કરવાના તરફેણમાં વોટ આપ્યો હતો જ્યારે 48.2 ટકા યુઝર્સે પુન સ્થાપિત ન કરવાના પક્ષમાં મતદાન આપ્યું હતું. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.