રાજ્યમાં શ્વાન બની રહ્યા છે હિંસક! એક જ દિવસમાં બે જગ્યાઓથી સામે આવ્યા શ્વાનના હુમલાના કિસ્સા


  • Published By :
  • Published Date : 2023-04-05 15:21:25

રાજ્યમાં શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શ્વાન દ્વારા હુમલો થતા અનેક લોકો ઘાયલ થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે આજે રાજ્યમાંથી બે શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. એક ઘટના પંચમહાલથી સામે આવી છે અને બીજી ઘટના નવસારીથી સામે આવી છે. નવસારીમાં રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો જ્યારે પંચમહાલમાં પણ બાળક પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ચારથી પાંચ શ્વાનોએ બાળક પર હુમલો કરી બાળકને ઘાયલ કર્યો હતો. 


એક જ દિવસમાં શ્વાનના હુમલાની બે ઘટનાઓ સામે આવી 

રખડતાં ઢોર બાદ રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક જોવા વધી રહ્યો છે. રાજ્યના લોકો ઢોરના આતંકનો સામનો તો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે રખડતાં શ્વાનનો ખતરો પણ સતત વધી રહ્યો છે. બાળકો પર હુમલો થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પંચમહાલમાં ચારથી પાંચ કૂતરાઓએ એક માસુમ બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. નવસારીમાં પણ આવી જ ઘટના બની છે. કાલે પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં શ્વાનને કારણે એક્સિડન્ટ સર્જાયો હતો.   


ક્યારે રખડતાં શ્વાનના આતંકથી મુક્તિ મળશે?  

રખડતાં શ્વાનને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે જ્યારે અનેક લોકોના મોત થતા હોય છે. રખડતાં ઢોરથી રાજ્યના લોકોને મુક્તિ નથી મળી ત્યારે શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ છે કે ક્યાં સુધી માસુમ લોકો રખડતાં ઢોર અને રખડતાં શ્વાનનો ભોગ બનતા રહેશે? મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારને કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.