દિલ્હી- નોઇડામાં પાલતુ શ્વાન રાખતા પહેલા વિચારજો, કૂતરું કરડશે તો માલિકને 10,000નો દંડ, સારવાર ખર્ચ પણ આપવો પડશે


  • Published By :
  • Published Date : 2022-11-13 15:19:39

દેશમાં પાલતું શ્વાન કરવાની સમસ્યા ચિંતાનો વિષય બન્યો છે. રાહદારીઓને અવારનવાર પાલતું કુતરાઓ (pet dogs) કરડતા હોય છે. સુપ્રિમ કોર્ટે પણ આ ગંભીર સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જો કે આ દિશામાં દિલ્હીના નોઈડા ઓથોરિટી મેનેજમેન્ટ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. હવેથી કુતરાના માલિકે ઈજાગ્રસ્ત વ્યક્તિને 10,000 રૂપિયાનો દંડ ફટકારવાનો અને પીડિતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.


નોઈડા ઓથોરિટીએ શું ગાઈડલાઈન્સ બનાવી?


નોઈડામાં પાલતુ કુતરાઓએ રીતસરનો આતંક મચાવ્યો છે, તેના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.કૂતરા કરડવાની ફરિયાદોને કારણે, ઓથોરિટીએ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકાના પાલનમાં એક નીતિ તૈયાર કરી છે. આમાં કૂતરા અને બિલાડી બંનેને 31 જાન્યુઆરી સુધીમાં નોઈડામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કોઇ વ્યક્તિ રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેને દંડ ફટકારવામં આવશે. પાલતુ કૂતરાનું વંધ્યીકરણ અને એન્ટિરેબીઝ રસીકરણ ફરજિયાત છે. જો તેનું પણ પાલન કરી થાય તો 1 માર્ચ, 2023 થી દર મહિને 2,000 રૂપિયાનો દંડ થશે. ઓથોરિટી AOA, RWA અને ગ્રામજનોની સંમતિથી પોતાના ખર્ચે ડોગ શેલ્ટર બનાવવામાં આવશે. જેમાં બીમાર, ઉગ્ર અને આક્રમક શ્વાનને રાખવામાં આવશે. RWA,એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA) આશ્રયસ્થાનની જાળવણી માટે જવાબદાર રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.