જમ્મુ-કાશ્મીરનું ડોડા બનશે બીજું જોશીમઠ? ડોડાના ઘરોમાં પડી રહી છે તિરાડ


  • Published By :
  • Published Date : 2023-02-04 14:14:25

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન થવાને કારણે ઘરોમાં તિરાડ પડી રહી હતી. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ જમ્મુ-કાશ્મીરના ડોડામાં બની છે. જમીન ધસી જવાને કારણે 21 મકાનોમાં તિરાડો પડી છે. તિરાડો પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે કયા કારણોસર આ તિરાડો પડી રહી છે તે અંગે સર્વે કરવા જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે.


ડોડામાં વણસી રહી છે પરિસ્થિતિ 

જમ્મુ-કાશ્મીરના ડોડા સ્થિત નઈ બસ્તી ગાંવમાં જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઘરમાં તિરાડો પડવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. તે ઉપરાંત ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જમીન ઘસવાને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે. પ્રભાવિત ઘરોની સંખ્યા 21ની આસપાસ પહોંચી ગઈ છે. આ વાતને લઈ તંત્ર પણ એક્ટિવ થઈ ગયું છે અને આ સ્થળ અંગે તપાસ કરવા  જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 




21 મકાનોમાં પડી તિરાડ

જોશીમઠમાં આવેલા અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતે થઈ રહ્યું છે. અનેક ઘરોમાં તિરાડો પડવાનું શરૂ થઈ ગયું છે. 21 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ડોડા પ્રશાસન અને જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા આ અંગે તપાસ કરી રહી છે. ડોડાના ડીએમ અતહર અમીન જરગરે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં એક તિરાડની સૂચના મળી હતી. ધીરે ધીરે આ તિરાડો વધવા લાગી છે.  આ ક્ષેત્ર ધીમે ધીમે ડૂબી રહ્યું છે.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.