OPDનો સમય વધારવા મુદ્દે હવે આરોગ્ય કર્મચારીઓએ રણશિંગું ફુક્યું, સચિવાલય સામે કર્યા ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:27:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારી આંદોલનોનો જાણે રાફડો ફાટ્યો છે. હવે રાજ્ય આરોગ્ય વિભાગના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે સરકાર સામે બાયો ચઢાવી છે. રાજ્યમાં સ્વાસ્થ્ય સુવિધા સુધારવાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસ અગાઉ મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં ઓપીડીનો સમય વધારવામાં આવ્યો હતો. જો કે હવે આ નિર્ણય સામે તબીબો વિરોધ પર ઉતર્યાં છે.


OPDનો સમય વધારવા સામે વિરોધ


આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે મુદ્દે વિભાગના કર્મચારીઓ, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ ગાંધીનગર સ્થિત જૂના સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં OPDનો જૂનો સમય રાખવાને લઈને દેખાવો કર્યા હતા. કર્મચારીઓએ ‘કાળો કાયદો દૂર કરો’ના સુત્રોચાર કરવા સાથે દેખાવો કર્યા, આરોગ્ય વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, આરોગ્ય વિભાગ દ્વારા OPDનો સમય વધારે કરીને 11 કલાકનો કરાયો તે યોગ્ય નથી. આ સાથે સરકાર દ્વારા રવિવારે પણ નોકરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં છે. આથી સરકાર પોતાનો આદેશ પરત લે તેમજ તાત્કાલીક ધોરણ જૂનો પરિપત્ર અમલી બનાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર અસર


જુનિયર તબીબોએ ઓપીડીના નવા સમયમાં કોઈ પણ જાતના સાથ સહકાર આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, OPD સેવામાં વધુ સમયના કારણે રેસિડન્ટ ડોક્ટરોના કોર્સ ઉપર વિપરિત અસર થાય છે. મેડિકલ કાઉન્સિલના ધારાધોરણ જોતા તબીબોને માનસિક તેમજ શારીરિક રીતે વિપરિત અસર થાય છે. નવા નિયમ મુજબ અમારે રજાના દિવસે પણ કામ કરવું પડશે અને અઠવાડિયામાં એક પણ રજા નહીં મળે.


વિરોધ કરતાં તબીબોનું કહેવું છે કે, આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં પુરતી સુવિધા મળી રહે તે પ્રકારનું મેનેજમેન્ટ કરવું જોઈએ. ઓપીડીનો સમય વધારવાથી દર્દીનું સ્વાસ્થ્ય નહીં સુધરે. આ સાથે જ વર્કલોડ વધવાથી ડોક્ટરોના સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર થશે.


OPD અંગે સરકારે શું જાહેરાત કરી હતી?


આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે બે દિવસ પહેલા જ OPDને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, લેબોરેટરી, એક્સ-રે તપાસ, ફાર્મસી,ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે.


સરકારી હોસ્પિટલોમાં સવારની OPDનો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે 9 થી 1 કલાક અને સાંજની OPDનો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે 4 થી 8 કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રાખવામાં આવશે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.