નિ:સ્વાર્થ ભાવનાથી ગરીબોની સેવા કરતા 92 વર્ષીય તબીબે માનવતા મહેંકાવી


  • Published By :
  • Published Date : 2023-04-04 15:15:37

કેટલાક લોકો માટે ઉંમર એ માત્ર એક નંબર છે. તેઓ વયોવૃધ્ધ અવસ્થામાં પણ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તીથી કામ કરતા હોય છે. નિવૃતિમાં તે ઘરે બેસી રહેવાના બદલે સતત સમાજ ઉપયોગી પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે. તેમની સેવા ભાવના અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડે છે. આવા જ એક સેવાભાવી તબીબ ડો. કપિલ પુરોહિત 92 વર્ષની વયે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે.


92 વર્ષીય સેવાભાવી તબીબ


92 વર્ષીય તબીબ ડો. કપિલ પુરોહિત છેલ્લા 33 વર્ષથી આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે. તેઓ સુરતથી 40 કિ.મી દુર આદિવાસી વિસ્તારમાં પહોંચીને ગરીબ લોકોની સેવા કરે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વરવાડા ગામમાં કપિલ કાકાના હુલામણા નામે જાણીતા ડો. કપિલ પુરોહિતની સેવા ભાવનાની જીવતી જાગતી મિશાલ છે.


ફીની અપેક્ષા વગર સેવા


ડો. કપિલ પુરોહિત વરવાડા ગામમાં અઠવાડિયાના ચાર દિવસ સેવા આપે છે. ઉત્કટ સેવા ભાવનાવાળા આ તબીબ ફીની અપેક્ષા વગર દર્દીઓની સેવા કરે છે. કોઈ ગરીબ દર્દી જો ફી ન આપી શકે તો પણ ડો. કપિલ પુરોહિત નિ:સ્વાર્થ ભાવનાથી તેની નિ: શુલ્ક સારવાર કરે છે. કોરોના કાળમાં સંક્રમિત થઈ ચુકેલા ડો. કપિલ પુરોહિતના પરિવારજનો તેમને તબીબી પ્રેક્ટિસ છોડી દેવા માટે અનેક વખત સમજાવી ચુક્યા છે. તેમ છતાં તેઓ 92 વર્ષની વયે પણ પુરા જોમ અને જુસ્સાથી ગરીબોની સેવા માટે 40 કિમી ટ્રાવેલ કરી વરવાડા ગામ પહોંચે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.