શું તમે જાણો છો ગાયને શા માટે આપવામાં આવ્યો છે માતાનો દરજ્જો?


  • Published By :
  • Published Date : 2023-01-07 16:50:16

હિંદુ ધર્મમાં તેમજ ભારતીય પરંપરામાં ગાયને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને આપણે માતા કહીએ છીએ. એવું માનવામાં આવે છે કે ગાયમાં દેવી -દેવતાઓનો વાસ રહેલો છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ગાયની અંદર લગભગ 33 કરોડ દેવી દેવતાઓનો રહેલા છે જેને કારણે જ ગાય માતાની પૂજા કરવામાં આવે છે. 


Hindu Yuva Vahini (Gujarat): ગાયમાતા રાષ્ટ્રમાતા ??? કોઈ ગાયને જ પૂછી જૂઓ...

સદીઓથી આપણે ત્યાં ગાય માતાને પૂજનીય માનવામાં આવે છે. ગાયની સેવા કરવીએ સૌથી પુણ્યનું કાર્ય છે. પહેલાના જમાનામાં આપણા પૂર્વજો ગાયને આંગળામાં રાખી તેની સેવા પૂજા કરતા હતા. ગાયની પૂજા કરવાથી અનેક ફાયદાઓ પણ થાય છે. ગાયની નિયમીત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિનો વાસ રહે છે. અનેક લોકો ગાયની સેવા તો કરે છે પરંતુ ગાયને રોટલી પણ ખવડાવે છે. આમ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. 

Hd photos free download, Hd images, Wallpaper free download

ગાય માતાની પૂજા દરમિયાન લોકો ગાય માતાને રોટલી પણ અર્પણ કરતા હોય છે. રોટલીમાં ગોળ રાખી ખવડાવવાથી ગાયમાં રહેલા 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી ઘણી પેઢીઓ પર આની સકારાત્મક અસર પડે છે. ઉપરાંત ગાયને રોટલી અર્પણ કરવાથી ઘરના બાળકો સુખ-શાંતિથી રહી શકે છે. દરેક ખુશીઓ તેમને પ્રાપ્ત થાય છે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે ગોળ સાથેની રોટલી ખવડાવવાથી દ્રશ્ય અને અદ્રશ્ય શક્તિની મદદ મળે છે. 

ગાયને રોટલીની સાથે ખવડાવો આ ચીજો, પૂરી થશે તમામ મનોકામના, ખુલી જશે ભાગ્યનાં  દરવાજા - Panchatiyo

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓનું તો મહત્વ રહેલું છે પરંતુ આપણી સંસ્કૃતિમાં પશુ-પક્ષીઓને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેરક વસ્તુ આપણે પૂજનીય માનીએ છીએ. આપણે ત્યાં દાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે. અનેક લોકો ગાયનું પણ દાન કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે એક પ્રતાપી રાજાને ગાયનું દાન કરવાથી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. મૃત્યુ બાદ પણ વિધીમાં ગાયનું દાન કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે. ગાયના દાનને મહાદાન માનવામાં આવે છે.       

  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.