આખરે સિદ્ધારમૈયા બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી, ડીકે શિવકુમારે ડેપ્યુટી CMનું પદ સ્વીકાર્યું


  • Published By :
  • Published Date : 2023-05-18 12:55:35

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને પાંચ દિવસથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો છે. આખરે કોંગ્રેસે કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કર્યું છે.સીએમની ખુરશી માટે ચાલી રહેલી ખેંચતાણમાં સિદ્ધારમૈયા બાજી મારી ગયા છે અને ડેપ્યુટી સીએમનું પદ ડીકે શિવકુમારના હાથમાં આવ્યું છે. બંનેને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. સિદ્ધારમૈયાએ અંતે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને સીએમની રેસમાં પાછળ છોડી દીધા છે. સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાના પાછળના કારણોની  હાલ સર્વત્ર ચર્ચા થઈ રહી છે, ત્યારે આવો જાણીએ કે તે કારણો કયા હતા.


સિદ્ધારમૈયાને બહુમતી ધારાસભ્યોનું સમર્થન 


આ ચૂંટણીમાં કોંગ્રેસે 135 સીટો જીતી છે. કહેવાય છે કે વિધાનમંડળ દળની બેઠકમાં 95 ધારાસભ્યોએ ખુલ્લેઆમ સિદ્ધારમૈયાનું નામ લીધું હતું. મતલબ એ કે ધારાસભ્યો સિદ્ધારમૈયાને જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસે સિદ્ધારમૈયાને બદલે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો શક્ય છે કે સિદ્ધારમૈયા પાછળથી બળવો કરી શક્યા હોત.


ડીકે શિવકુમારને કોર્ટ કેસ નડ્યા


બીજું સૌથી મોટું કારણ ડીકે શિવકુમાર સામે ચાલી રહેલા કેસ છે. કોંગ્રેસ માટે સૌથી મોટી ચિંતા એ હકીકત હતી કે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ નોંધાયેલા છે. આ દરમિયાન કર્ણાટકના ડીજીપીને પણ સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે CBIના નવા ડાયરેક્ટર ડીકે શિવકુમારને નજીકથી જાણે છે. બંને વચ્ચે બિલકુલ સંવાદિતા નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગ્યું કે જો ડીકે શિવકુમારને સીએમ બનાવવામાં આવશે તો CBI તેમની જૂની ફાઈલો ખોલશે, સરકારને નુકસાન સહન કરવું પડશે.


પછાત વર્ગમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા


પછાત વર્ગમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા સૌથી મોટું કારણ છે. સમાજના દરેક વર્ગમાં સિદ્ધારમૈયાની પકડ ઘણી સારી છે. તેઓ ખાસ કરીને દલિતો, ઓબીસી અને મુસ્લિમોમાં લોકપ્રિય છે. આવી સ્થિતિમાં, જો કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી ન બનાવ્યા હોત, તો શક્ય છે કે તેઓ પાર્ટીની વિરુદ્ધ જઈ શક્યા હોત. આવી સ્થિતિમાં દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓની મોટી વોટબેંક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે.





ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.