દિવાળી ટાણે ખાનગી બસના સંચાલકોની ઉઘાડી લૂંટ, ST વિભાગે શરૂ કરી 150 જેટલી વધારાની ટ્રીપ


  • Published By :
  • Published Date : 2023-11-07 22:29:07

રાજ્યમાં દિવાળીના તહેવારને જુજ દિવસો રહ્યા છે, ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અંકલેશ્નર સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો તેમના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. દિવાળીનો તહેવાર વતનના ગામમાં મનાવવા ઈચ્છતા આ લોકો પાસેથી ખાનગી ખાનગી બસના સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. લોકોની મજબુરીનો લાભ ઉઠાવતા આ લેભાગુ ખાનગી બસના સંચાલકોએ અચાનક જ ભાડા વધારી દીધા છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ ખાનગી બસ સંચાલકોને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જો કે આ ખાનગી બસ સંચાલકોએ હર્ષ સંઘવીની ચીમકીની પણ ઐસીતૈસી કરીને બેફામ ભાડું વસૂલી રહ્યા છે. આ પરિસ્થીતીમાં મુસાફરોને લૂંટતા બચાવવા રાજ્ય સરકારના એસ ટી નિગમે પહેલ કરી છે.


150 જેટલી વધારાની ટ્રીપ શરૂ 


ગુજરાતમાં દિવાળી ટાણે મુસાફરોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણે એસટી બસમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. રાજકોટથી રાજ્યના અલગ અલગ મોટા શહેરો અને જિલ્લાઓમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાને લઈને એસટી વિભાગે 150 જેટલી વધારાની ટ્રીપ શરૂ કરી છે. પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં વતનના ગામ જતા લોકોને આર્થિક બોજ ન પડે તે માટે એસટી બસમાં એડવાન્સ બુકિંગ 1200 રૂપિયામાં શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે સુરતથી રાજકોટ માટે ખાનગી બસ દ્વારા 2400 રૂપિયા સુધીનું ભાડુ વસૂલવામાં આવે છે. 


અમદાવાદ-સુરતનું ભાડું પણ વધ્યું


અમદાવાદ જવા અને આવવા માટે સરકારી વોલ્વો એસી બસનું ભાડું 520 રૂપિયા છે જે ખાનગી બસમાં 1100 સુધી પહોંચી ગયું છે. આમ ખાનગી બસ સેવાના ડબલ ભાડાને પગલે એસટી બસ ડેપો ઉપર ટ્રાફિક હાઉસફુલ જોવા મળી રહ્યો છે. જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ ટ્રાફિક ચિક્કાર થવાનો છે. હાલ તો મુસાફરો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં એડવાન્સ ટીકીટ પણ ખૂટી પડે તેવું લાગી રહ્યું છે.


હર્ષ સંઘવીએ શું કહ્યું હતું?


દિવાળીના તહેવારમાં સુરત તરફથી સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતનમાં આવતા હોય છે અને લોકો ફરવા પણ જતા હોય છે ત્યારે લક્ઝરી બસના સંચાલકો દ્વારા પેસેન્જર પાસે બેગણા ભાડા વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. તહેવારના સમયે ચિક્કાર ભીડ રહેતી હોવાથી ખાનગી વાહન ચાલકો મનફાવે તેવા ભાડા ઉઘરાવતા હોય છે અને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવતા હોય તેવા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોને બેફામ ઉઘરાણા બંધ કરવા ગૃહમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, તમારી સેવા અને વેપાર સારો ચાલે તેમાં કોઈ વાંધો નથી. નાગરિકોની જરૂરિયાતનો લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!