સુરત ST ડેપો પરથી 1000 એક્સ્ટ્રા બસો દોડાવવાનો પ્રારંભ, 38.88 લાખ રૂપિયાની આવક


  • Published By :
  • Published Date : 2023-11-10 17:59:18

રાજ્યમાં દિવાળીના તહેવારની ઉજવણીને લઈ લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી લોકો વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને અંકલેશ્વરના એસટી ડેપોમાં મુસાફરોની ભીડ ઉમટી છે. તેમાં પણ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે યાત્રીકોનો ધસારો જબરદસ્ત છે. મુસાફરોનો આ ધસારો જોતા સુરત એસટી તંત્રએ  રાજ્યનાં અન્ય શહેરો માટે 1000 બસ રવાના કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણે છેલ્લા બે દિવસમાં એસટી વિભાગને 38.88 લાખ રૂપિયાની આવક થઈ છે.


શુક્રવારે 320 ગ્રૃપ અને 140 ઓનલાઈન બુકિંગ


સુરત એસટી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 10 નવેમ્બર એટલે શુક્રવારે 320 ગ્રૃપ બુકિંગ છે. તેમાં 140 ઓનલાઈન બુકિંગ છે અને બાકીના કરંટ બુકિંગ છે. હજી પણ કરંટ બુકિંગ થઈ રહ્યું છે. તેના કારણે દિવસ દરમિયાન કાપોદ્રામાં ધારૂકાવાલા કોલેજ ગ્રાઉન્ડ પરથી 1000 બસ ઉપાડવાનું પ્લાનિંગ છે.


બે દિવસમાં બસોની 154 ટ્રીપ 


સુરત એસટીને માત્ર છેલ્લા બે દિવસમાં 38.88 લાખ રૂપિયાની આવક થઈ હતી. તેમાં કુલ 11,394 મુસાફર નોંધાયા હતા. બે દિવસમાં બસોની 154 ટ્રીપ નીકળી હતી. તેમાં સૌથી વધુ ટ્રીપ ઝાલોદ અને દાહોદ જિલ્લા માટે હતી અને 4600 મુસાફર નોંધાયા હતા. 154 ટ્રીપમાં બસો કુલ 73381 કિલોમીટર પ્રવાસ કરશે.


કયા શહેર માટે કેટલી ટ્રીપ?


ઝાલોદ જિલ્લા માટે 72, દાહોદ જિલ્લા માટે 19 ટ્રીપ, અમરેલી જિલ્લા માટે 13 ટ્રીપ, મહુવા માટે 10 ટ્રીપ, સાવરકુંડલા માટે 7 ટ્રીપ, ભાવનગર માટે 4 ટ્રીપ, ગરિયાધાર માટે 5 ટ્રીપ, જૂનાગઢ માટે 5 ટ્રીપ, રાજકોટ માટે 3 ટ્રીપ અને સંતરામપુર માટે 1 ટ્રીપ ગઈ છે. આ 1000 ટ્રીપમાં સુરત એસટીને દોઢ કરોડ રૂપિયાથી વધુ આવક થવાની શક્યતા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!