ST વિભાગના કર્મચારીઓની દિવાળી સુધરી! હડતાળ કરવી પડે એ પહેલા જ પગાર વધ્યો, પગાર વધારા પર Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-11-08 09:10:20

જ્ઞાન સહાયકનો મુદ્દો ધીરે ધીરે શાંત પડતો ગયો ત્યારે એસટી વિભાગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવ્યા. ફિક્સ પેના કર્મચારીના પગારમાં 30 ટકાનો વધારો કરાયો પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. તેમનો પગાર વધારો કરવામાં ન આવ્યો જેને કારણે તેઓ વિરોધ કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલા એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ આવ્યા હતા. સમર્થનમાં હોવાની વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે કર્મચારીઓની માગ સ્વીકારવામાં આવી અને પગાર વધારો કરવામાં આવ્યો. આ નિર્ણય બાદ કર્મચારીઓની ખુશીઓનો પાર ન રહ્યો હતો. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાદ યુવરાજસિંહે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

       

એસટી વિભાગના કર્મચારીઓની સુધરી દિવાળી 

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી આંદોલનો ચાલી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. ભાવિ શિક્ષકોએ જ્ઞાનસહાયક રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કર્યું હતું. વિવિધ કાર્યક્રમો કરી પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં આવી. આપે દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. યાત્રાને અનેક સમય વિતી ગયો પરંતુ હજી સુધી આ મામલે કોઈ અપડેટ નથી. 

યુવરાજસિંહનું વધુ એક આંદોલન સફળ!

ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ નથી સ્વીકારાઈ પરંતુ એસટી બસ વિભાગના કર્મચારીઓની માગ સરકારે સ્વીકારી લીધી છે. એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ હતા, આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એક આંદોલનમાં તો યુવરાજસિંહને સફળતા મળી ત્યારે હવે ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે શરૂ કરવામાં આવેલું આંદોલન રંગ લાવે છે કે તે સમય બતાવશે..!  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!