Breaking News : Loksabha Election પહેલા કોંગ્રેસમાં ભંગાણ, વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-01-19 10:38:23

લોકસભા પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસના એક ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના મોટા નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો તેજ બની છે. વિધાનસભા અધ્યક્ષને ચી.જે.ચાવડાએ પોતાનું રાજીનામું સોંપ્યું છે.   

વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું

એક તરફ એવી અટકળો ચાલી રહી હતી કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પરંતુ આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સી.જે.ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આવનાર સમયમાં ભાજપમાં ફરી એક વખત ભરતી મેળો શરૂ થશે જેમાં પૂર્વ ધારાસભ્યો એક સાથે જોડાઈ શકે છે!    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.