બનાસકાંઠાના ભાભરમાં પોસ્ટરને લઈ ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે સર્જાયો વિવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 14:15:56

ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કરી રહી છે. યાત્રાનું આયોજન કરી પોતાની સરકારે કામ લોકો સુધી પહોંચાડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આ યાત્રા ફરી રહી છે. ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના કાર્યકરતા ગૌ માતા સહાયના બેવરો હટાવી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવતા નજરે પડી રહ્યા છે. ભાભરમાં ગૌમાતા સહાયના બેનરો હટાવાતા વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી.

 

ગૌ ભક્તોમાં વ્યાપી ઉઠ્યો રોષ 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતા રહે છે ત્યારે બનાસકાંઠાના ભાભરથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેને ગુજરાતની રાજનીતિ ગરમાવી દીધી છે. સર્કલ પર ગૌમાતા સહાય માટે બેનર લાગ્યા હતા. ભાજપના કાર્યકરો તેને ઉતારી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવી રહ્યા હતા. આ વાતનો વિરોધ કરવા જતા ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના આપના કાર્યકરોએ કેમેરામાં કેદ કરી હતી. વીડિયો ઉતારતા તેમનો મોબાઈલ બંધ કરાવી દીધો હતો. ગૌ માતા સહાયના બેનરો હટાવી દેવાતા ગૌ ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.      



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.