ભાજપથી નારાજ થયેલા કેસરીસિંહ સોલંકી જોડાયા આમ આદમી પાર્ટીમાં


  • Published By :
  • Published Date : 2022-11-11 09:52:30

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજનીતિમાં પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર બીજા દિવસે કોઈ નેતા પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક ઉમેદવારોના પત્તા કપાઈ ગયા છે. ત્યારે મોડી રાત્રે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

માતરથી કેસરીસિંહને મળી શકે છે ટિકિટ

આ વખતે ગુજરાતમાં પક્ષપલટો કરવા ધારાસભ્યોને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી અથવા ભાજપમાંથી નારાજ થઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપને અલવિદા કહી દીધું છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. કેસરીસિંહ સોલંકીના આમ આદમી પાર્ટીમાં જવાથી પાર્ટીમાં આંતરિક ડખા થઈ શકે છે કારણ કે પાર્ટીએ પહેલાંથી જ માતર માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માતરથી આપ કેસરીસિંહને ટિકિટ આપશે જેને કારણે મહિપતસિંહ ચૌહાણની ટિકિટ કપાઈ શકે છે. 

Mahipatsinh chauhan | Facebook

અનેક વખત ઉમેદવારોના નામ કરાયા છે બદલી 

આમ આદમી પાર્ટીએ નામની જાહેરાત કર્યા બાદ ઉમેદવારોના નામ ચેન્જ કર્યા છે. યુવરાજસિંહ પહેલાં જે જગ્યાથી ચૂંટણી લડવાના હતા તેને બદલી દેવામાં આવ્યું છે. ઉપરાંત ખંભાત માટે ઉમેદવારોના નામ બદલી દેવામાં આવ્યા હતા. ત્યારે માતરથી મહિપતસિંહ ચૌહાણનું પત્તુ કપાઈ જાય તો નવાઈ નહી.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!