AAPના ધારાસભ્ય Chaitar Vasava હવે ભાજપમાં જોડાશે અને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું!


  • Published By :
  • Published Date : 2024-02-01 13:46:17

આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડાથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ખુબ જ ચર્ચામાં છે. તેમના પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા સહિતના ઘણા આરોપો લાગ્યા હતા. પછી તે જેલમાં ગયા અને હવે તેમને જામીન મળી ગયા છે. અને તે જેલની બહાર આવી ગયા છે.  આ આદિવાસી ચહેરો આદિવાસી વિસ્તારોમાં ખુબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે. તેમાં ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે અને આમ આદમી પાર્ટીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવવાનો નિર્ણય પણ લીધો છે. તો બધાની વચ્ચે એવા સમાચાર વહેતા થયા હતા કે ચૈતર વસાવા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. 


મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે    

જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. અને ભરૂચની લોકસભા સીટ પર સૌ કોઈ લોકોની નજર છે. આમ આદમી પાર્ટીએ તો જાહેર કરી દીધું છે કે ચૈતર વસાવા આપમાંથી ચૂંટણી લડશે પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. આ બેઠક પર વર્ષોથી ભાજપના મનસુખ વસાવા જીતે છે પણ આ વખતે એવી પણ ચર્ચા છે કે ભાજપ મનસુખ વસાવાને ટિકિટ નહિ આપે તો સ્વભાવિક છે કે એ વિસ્તારમાં હાલ ટ્રેંડમાં ચાલી રહ્યા છે આદિવાસી નેતા ચૈતર વસાવા....જો ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો ભાજપમાંથી ચૈતર ભાઈને ટિકિટ મળશે તેવી વાતો પણ થઇ રહી છે. 


ભાઈ-બહેન આવી શકે છે આમને સામને!

ભરૂચ સીટ પરથી કોંગ્રેસમાં પણ ભાઈ બહેન આમને સામને આવે તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના દીકરાએ પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. એટલે જ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ બહેન આમને સામને આવી શકે છે. 


શું ચૈતર વસાવા કરશે કેસરિયો ધારણ?

હાલ તો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે. જ્યાં મોટી સંખ્યામાં તેમની સાથે આપના કાર્યકરો અને હોદ્દેદાર જોડાયા હતા. અને ચૈતર વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં દેખાયા હતા. આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં એક જ મોટો નેતા બચ્યો હોય એમ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સવારથી જ ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા જેલ ખાતે પહોંચી ગયા હતા. તો હવે જોવાનું એ રહ્યું છે કે ચૈતર વસાવા આપનો સાથ છોડી વોશિંગ મશીનમાં ચોખ્ખા થવા જશે કે નહિ



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.