Loksabhaમાં શરૂ થઈ No Confidence Motion પર ચર્ચા, મણિપુર મુદ્દે PM Modiને પૂછ્યા આ સવાલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-08 12:52:25

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ ચર્ચા ચાલી રહી છે. મણિપુર હિંસામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. બપોરે 12 વાગ્યાથી લોકસભામાં આ મામલે ચર્ચા શરૂ થઈ હતી. પહેલા એવી માહિતી સામે આવી હતી કે આ ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરવાના છે. પરંતુ ચર્ચાની શરૂઆત ગૌરવ ગોગોઈએ કરી હતી. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સંસદમાં ન બોલવાનું મૌન વ્રત ધારણ કર્યું છે. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. પીએમ મોદીને ત્રણ સવાલ તેમણે પૂછ્યા હતા.

  

મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર ફેલ ગઈ છે - ગૌરવ ગોગોઈ

અનેક મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. અનેક લોકોના જીવ જતા રહ્યા છે. મણિપુરમાં થતી હિંસા પર પીએમ મોદી તેમજ સરકાર દ્વારા મૌન સેવવામાં આવ્યું છે. પીએમ મોદી દ્વારા આ મામલે કોઈ એક્શન લીધા નથી. સંસદની શરૂઆત પહેલા પીએમ મોદીએ મહિલાઓના વાયરલ થયેલા વીડિયો અંગે નિવેદન આપ્યું હતું. એ પણ માત્ર સેકેન્ડોનું હતું. તે બાદ મણિપુર મુદ્દે પીએમ મોદી દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. ત્યારે આ મામલે સંસદમાં અનેક વખત હોબાળો થયો છે. આ મામલે અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિનની સરકાર મણિપુરમાં ફેલ થઈ છે. જેને કારણે 150 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.. 


પીએમ મોદીને પૂછ્યા ત્રણ સવાલ!

મણિપુર મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પીએમ મોદીને ત્રણ સવાલ પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન - શા માટે પીએમ મોદીએ મણિપુરની મુલાકાત આજ સુધી નથી લીધી? મણિપુર મુદ્દે બોલવામાં પીએમ મોદીએ કેમ 80 દિવસ થયા, જ્યારે બોલ્યા તો માત્ર 30 સેકેન્ડ જ બોલ્યા? પીએમ મોદીએ મણિપુરના મુખ્યમંત્રીને કેમ પદ ઉપરથી હટાવ્યા નહીં?       



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.