મહીસાગરમાં ખેડૂતો પર આસમાની આફત ખાબકી !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:41:11

ગુજરાતમાં વર્ષ 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે ખેતને નુકશાનની સમસ્યા સામે આવી છે. અને કાલે પડેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે  હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જીલ્લામાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં રહેલ ઉભા પાકમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકશાન થયું છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે.

 

મહીસાગરમાં કાલે રાતે ગાજવીજ સાથે વરસાદ પડ્યો જેના કારણે પાકમાં ભારે નુકશાન થયું અને તમામ પાક નષ્ટ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહીસાગર જીલ્લાનાં લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર, સહીત બાલાસિનોરમા ગત સમી સાંજે ભારે પવન અને ગાજ વિજ સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોનાં તૈયાર થયેલા ઉભા પાકમા ઘૂટણસમા પાણી ભરાતા ખેડુતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. 

 

ખેડૂતો માંગી સહાય !!!

ઊભા પાકમાં વરસાદના પાણી ભરાઈ જતાં ખેડૂતોની મેહનત પાણીમાં ફરીવડ્યું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે. લુણાવાડા તાલુકા વિસ્તારના ગધનપુર ગામે 200 થી ઉપરાંત એકર જમીનમાં ડાંગરના પાક નું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય પહેલા પાક માં જીવતો પડી જવાથી 50 ટકા થી ઉપરાંત પાક નષ્ટ થઇ ગયો હતો અને બચેલા ઉભા પાક માં ગત રોજ વરસાદ વરસતા ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા થઇ તમામ પાક નિષ્ફળ જવાના આરે આવી ગયો છે.



અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી પતે હવે ખાસ્સો સમય થવા આવ્યો છે. પરંતુ હજી સુધી બીજેપી તેના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ઘોષિત ના કરી શકી . આ બીજેપી અધ્યક્ષની રેસમાં નીતિન ગડકરી , શિવરાજસિંહ ચૌહાણ , મનોહરલાલ ખટ્ટર તથા અન્ય નામો છે. તો હવે જોઈએ બીજેપી કોની પર પસંદગીનો કળશ ઢાળે છે .

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પછી સમગ્ર વિશ્વના શેરબજારો ખુબ જ ડાઉન ગયા છે. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વાત કરીએ યુરોપીઅન યુનિયનની તો કેનેડા અને ચાઈના પછી યુરોપ અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવી શકે છે. લંડન અને ઇઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.

૨૧મી સદીમાં નવું ખનીજ તેલ એટલે , ડેટા . આ ડેટા થકી જ કોઈ પણ દેશ કે કંપની તેનું અસ્તિત્વ ટકાવી શકે છે. હવે એ જાણીએ કે કઈ રીતે આપણે આપણી ચેટ્સને સુરક્ષિત કરી શકીએ . તો તેની માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ સોશ્યિલ મીડિયા એપ્સનો જ ઉપયોગ કરવા જોઈએ . સાથે જ આપણે આપણા મોબાઈલમાં સોફ્ટવેર અપડેટેડ રાખવું જોઈએ .