દ્વારકામાં આફતની મુસાફરી, ક્યારે જાગશે સત્તાધીશો


  • Published By :
  • Published Date : 2022-10-31 18:15:53

આફતની સવારી

મોરબીની ઘટના પરથી કોણ લેશે શીખ? દ્વારકામાં ફેરી બોટ સર્વિસનો વિડિઓ વાયરલ થયો છે.તંત્રના નિયમનું ઉલ્લંઘન કરીને ફેરીબોટ સર્વિસમાં ઓવરલોડ યાત્રિકોને બેસાડવામાં આવ્યા છે. દરિયામાં ચાલતી આ બોટ ખરેખર આફતની સવારી છે. જેને રોકવી ખુબ જ જરૂરી છે કારણ કે દુર્ઘટના થાય પછી તો આપડું તંત્ર માત્ર વેદનાઓ જ ઠાલવતું હોય છે.ઉઠ્યા ત્યારથી સવારની જેમ હવે આપડી સિસ્ટમ જાગે તો આવી દુર્ઘટનાઓથી માસૂમોનાં જીવ નહિ જાય

 


મોરબીમાં બનેલી દર્દનાક ઘટના બાદ દ્વારકા વહીવટી તંત્ર ક્યારે જાગશે?

આ દ્રશ્ય પોતે જ ઘણુ બધું કહી જાય છે.તંત્રના નિયમનું ઉલ્લંઘન કરીને દ્વારકામાં બોટ સર્વિસમાં ઓવરલોડ યાત્રિકોને બેસાડવામાં આવ્યા જે ચિંતાનો વિષય બન્યો છે. બોટમાં લાઇફ જેકેટ વિના મુસાફરી કરતાં યાત્રિકો નજરે પડયા હતા.ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટના દ્રશ્યો સામે આવતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.દિવાળીના તહેવારમાં ફરવાના શોખીન ગુજરાતીઓ અનેક ધાર્મિક સ્થળોએ પણ ઉમટી પડ્યા છે એ આમ તો સારી વાત છે પરંતુ ચિંતા એ વાતની છે કે આ ભીડમાં ભારે જોખમ ઉભુ થઈ ગયું છે. હજી તો  મોરબીની ઘટનાના મૃતકોનો આંકડો વધી જ રહ્યો છે  ત્યારે દ્વારકામાં પણ ફેરી બોટમાં ભારે ભીડમાં જઈ રહેલા લોકો નજરે પડી રહ્યા છે. દ્વારકાની જ વાત કરીએ તો ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસમાં જીવના જોખમે લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

 

અમદાવાદનું તંત્ર તો જાગ્યું દ્વારકાના અધિકારીઓ ક્યારે જાગશે?

અમદાવાદીઓનું આકર્ષણ બનેલા અટલ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે AMCએ નિર્ણય લીધો છે. ફરમાન પ્રમાણે અટલ બ્રિજ પર દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યા છે.અમદાવાદનું AMC "દેર આયે દૂરુસ્ત આયે" જાગ્યું તો છે પણ હવે જોવાનું એ રહેશે કે દ્વારકાની આ આફતની સવારી ક્યારે બંધ થશે



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.